ન્યુ દિલ્હી : અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટૅના લગ્નની ઉજવણી શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ગુરૂવારે દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરે પહોંચીને તેમની સાથે મુલાકાત કરી હતી.
થોડીવાર બાદ અંબાણી 10 જનપથ સ્થિત આવાસથી રવાના થઇ ગયા. એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ આપવા માટે રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા.
તમને જણાવી દઇએ કે 12 જુલાઇના રોજ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્ન થવાના છે. મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત એન્ટીલિયામાં બુધવારથી લગ્નના રિત-રિવાજો શરૂ થઇ ગયા છે.
દેશ-વિદેશથી મહેમાઓની અવર-જવર ચાલુ છે. ત્યારે મુકેશ અંબાણી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને લગ્નનું આમંત્રણ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. હવે 12 જુલાઇના રોજ લગ્ન, 13 જુલાઇના રોજ આર્શિવાદ સમારોહ અને 14 જુલાઇના રોજ રિસેપ્શન યોજાશે.
આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની સાથે સાથે સ્પોર્ટ્સ અને બિઝનેસની દુનિયાના મોટા દિગ્ગજો પણ સામેલ થશે. સૂત્રોના અનુસાર આ લગ્નમાં ઘણા ઇન્ટરનેશનલ કલાકારો પરફોર્મ કરશે. અંબાણી પરિવારની મેનેજમેન્ટ ટીમની તેમની સાથે વાત ચાલી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy