રાજકોટ,તા.23
સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રાજકોટ માં સર્વ પ્રથમ વખત એક નોખા - અનોખા વિશિષ્ટ કાર્યક્રમ, શાસ્ત્રીય રાગો પર આધારિત સુમધુર, યાદગાર હિન્દી ફિલ્મી ગીતો ના કાર્યક્રમ " રાગ શ્રવણ - રોગ નિવારણ " એટલે કે ક્યો રાગ સાંભળવા થી ક્યા રોગ પર કાબુ મેળવી શકાય છે તેની માહિતી સાથે મનોરંજક કાર્યક્રમ નું ભવ્ય આયોજન 20 એપ્રિલ, શનિવારે રાતે 8-30 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં રાગોનો પરિચય અને એ રાગ ક્યા રોગ પર અસર કરે છે તેની માહિતી, માર્ગદર્શન સંગીત ગુરુ કિરીટભાઈ રાજપરાએ ખુબ સરસ રીતે આપી હતી તેમજ રાગો ની બંદિશ નું ગાન સુર સંગીતાલય, રાજકોટ ના સંગીતકાર કમલ રાજપરા અને વિદ્યાર્થીની યશવી પારેખ અને પારૂલબેન જોશીએ સુરીલા, મધુર કંઠે કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના સુવિખ્યાત ગાયક શ્રીકાંત નાયર અને ઘનશ્યામભાઈ રાવલ, જામખંભાળિયા ના વોઇસ ઓફ રફી જલ્પેશ માંકડ, પોરબંદરની કોકિલકંઠી ગાયિકા વિશ્રાંતિ જોશી અને સા રે ગ મ ના લિટલ ચેમ્પના ફાઈનલીસ્ટ પોરબંદરના અમન સાગઠીયા એ પોતાના સુરીલા, મખમલી કંઠે શાસ્ત્રીય રાગ આધારિત ફિલ્મી ગીતોની સુરમયી પ્રસ્તુતિ કરી અને શ્રોતાઓ ને આંનંદિત, ભાવવિભોર કરી દીધા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy