આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બાદ ઇવીએમ સુરેન્દ્રનગર સ્થિત એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર ખાતેના સ્ટ્રોંગરૂમમાં રખાશે. સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર જય સિંઘે અહીં હાથ ધરાનારી વ્યવસ્થાની આજે મુલાકાત કરી હતી.
જનરલ ઓબ્ઝર્વર જય સિંઘે આ મુલાકાતમાં વ્યવસ્થાઓ અંગેની ચકાસણી કરી વિવિધ સુચનો કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડાએ ઓબ્ઝર્વરને કોલેજ સંકુલમાં પ્રવેશ, સ્ટ્રોંગ રૂમ, મીડિયા રૂમ, કાઉન્ટિંગ રૂમ, સીસીટીવી સહિતની ઉભી થનારી વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેર એન.એન.પટેલ સહિત જિલ્લા ચૂંટણી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસ્વીર : ફારૂક ચૌહાણ - વઢવાણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy