(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 7
સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠક ઉપર મતદાન મથકો ઉપર વાજતે ગાજતે મતદાન કરવા લોકો આવી રહ્યાં છે. ત્યારે ભાજપના રાજકીય પક્ષ ભાજપ ના આગેવાન આઈ કે જાડેજા દ્વારા થાળી વગાડીને મતદાન કરવા અંગે જાગૃતિ બતાવવામાં આવી હતી. જ્યારે અનોખી રીતે થાળી અને વેલણ વગાડતા રાજકીય પક્ષના મુખ્ય આગેવાન આઈ કે જાડેજા જોવા મળ્યા હતા.
મતદાન મથક સુધી લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી અને જાગૃતતા દાખવી અને આજે લોકશાહી પર્વની જ્યારે ઉજવણીના ભાગ સ્વરૂપે જ્યારે મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયું છે ત્યારે આ રીતે પોતાના નિવાસ્થાનેથી થાળી અને વેલણ લઈ અને થાળી વગાડતા વગાડતા મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું
ત્યારે આજે જ્યારે વડાપ્રધાન સભામાં એક અનોખી પહેલની જાહેરાત કરી હતી અને થાળી વગાડી અને મતદાન કરવા જજો તેવું મતદારોને જણાવ્યું હતું ત્યારે આજે આઈ કે જાડેજા પરિવાર દ્વારા થાળી વગાડી અને મતદાન મથક સુધી પહોંચી અને મતદાન કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy