(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.15
ગતરોજ રાજકોટ ભાજપ કાર્યાલય થી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રીપ વાંચવા થકી એક કોન્ફરન્સ માં કાઠી દરબાર સમાજ રુપાલા સાથે છે ભાજપ સાથે છે તેમ જણાવ્યું હતું ખાસ તેમાં સુરજદેવળ મંદિર નો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ પણ જણાવ્યું હતું.
ત્યારે આ તમામ વાત ને લઈ કહેવાતા આગેવાનો ને સણસણતા સવાલો રામકુભાઇ કરપડા એ કરતાં જણાવ્યું હતું કે આ કોઈ સમાજ આગેવાનો નથી ભાજપ હોદેદારો છે અને સમાજ ઉપર હાવી થવા ના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સમાજ મોટો છે આગેવાનો નહીં વાત છે સુરજદેવળ મંદિર ના વિકાસ માટે ની તો આ મંદિર ના વિકાસ માં યુવાનો નો સહયોગ છે તેઓ વિકાસ કર્યો છે નહીં કે સરકારે?
અગાઉ આપ પણ ટ્રસ્ટી હતા ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો? જેવા સવાલો કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કાઠી દરબાર સમાજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે છે રૂપાલા ના વિરોધમાં છે અને આવતીકાલે રાજકોટ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજ જોડાશે.
કોઈ એક બે ભાજપ ના અંગત લાભો માટે સ્વાર્થી મતલબી આગેવાનો સાથે કોઈ સમાજ છે નહીં કે તેઓ ને આગેવાન માનતા પણ નથી ફકત ને ફકત કાઠી ભાજપુત જ છે અને ભાજપના હોદેદારો જ છે સમાજ તેઓની સાથે નથી તેમ રામકુભાઇ કરપડા એ જણાવ્યું હતું
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy