(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.23
સાહિત્ય શિક્ષણ અને રચનાત્મક પ્રવૃત્તિ શેત્રે કાર્યરત નિર્ધાર સાહિત્ય વર્તુળ સુરેન્દ્રનગર દ્વારા છેલ્લા 13 વર્ષ થી સ્વ કવિ પરિમલ કાંત રાવલ સ્મૃતિ અવોર્ડ જુદા જુદા શેત્રે કાર્યરત મહાનુભાવો ને અપાઈ છે.જે પૈકી શ્રેષ્ઠ લેખક કક્ષા નો અવોર્ડ ખમીરવંતી ઝાલાવાડી ધરતી ના લીલાપુર લખતર ના વતની હાલ અમદાવાદ સ્થિત શ્રીમાન યશવંત મહેતા ને અર્પણ કરાયો હતો.
જયારે શ્રેષ્ઠ કવિ કક્ષા નો અવોર્ડ પૃથ્વીરાજસિંહ ઝાલા ’રાજ લખતરવી’ ને અર્પણ કરાયેલ શ્રેષ્ઠ વિધવા શિક્ષક કક્ષા નો અવોર્ડ શ્રીમતી જાગૃતિ મુકેશભાઈ પાટીલ ને તથા માતુશ્રી તારાબેન રાવલ તપસ્વીની અવોર્ડ 2024 શ્રીમતી હેમાબેન યોગેશ ભાઈ દવે ને સન્માન પૂર્વક એનાયત કરવાનો કાર્યક્રમ જાણીતા સમાજ સેવક શ્રી ભવાનિસિંહજી મોરી ના પ્રમુખ સ્થાને યોજાયો હતો. સમારોહ નુ દિપપ્રાગટ્ય જાણીતા સર્જક શ્રી જસવંત મહેતા ના વરદ હસ્તે કરાયું હતું.
આ કાર્યક્રમ માં વિવિધ શેત્ર ના મહાનુભાવો સર્વ ચંદ્રકાંત વ્યાસ, ડો નીખિલ દેસાઈ, ડો બળવંત વ્યાસ,ડોસીટી ટુંડીયા, ભરતભાઈ દેવૈયા,નરેન્દ્ર ભાઈ રાવલ,પંકજ ત્રિવેદી,પંકજ જાની,ડો હર્ષિદાબેન રાવલ, મેઘાવિની રાવલ, હિરવા ખાખી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સૌ મહાનુભાવો એ નિર્ધાર નિ રચનાત્મક સેવા કીય પ્રવૃત્તિ નિ અનુમોદના કરી હતી. એવોર્ડ વિજેતા ને શાલ, ફૂલ હાલ, મલ્ટી કલર સન્માન પત્ર શિલ્ડ સ્મૃતિ ભેટ અર્પણ કરાયા હતા. કાર્યક્રમ નુ સફળ સંચાલન સહયોજક રાજેશ રાવલે કર્યું હતું આ પ્રોજેક્ટ નિ સફળતા માટે આનંદ રાવલ નિર્ધાર ટિમ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માં વિશાળ સંખ્યા માં બહેનો તથા ભાઈ ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy