(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 24
રાજકોટ ભાજપના ઉમેદવારના વાણી વિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઇ હવે સ્વાભિમાનની લડાઇ લડવા આહવાન ગામડે તથા બુથ લેવલ સુધી લઇ જવા તૈયારીઓ કરાઇ છે. જેના માટે સ્વાભિમાન લડત સમિતિનું કાર્યાલય સુરેન્દ્રનગરમાં ખૂલ્લું મૂકાતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિષે વાણીવિલાસ કરતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે.ત્યારે તેમની ટિકિટ રદ કરવા માંગ છતા ઉમેદવારી આપવામાં આવતા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે..
ત્યારે આ નારી સન્માનની લડાઇમાં ઝાલાવાડ સુધી પણ પહોંચી છે.ત્યારે સોમવારના રોજ સ્વાભિમાન લડત સમિતિ દ્વારા મનીષ માર્કેટ, હરશક્તી સર્કલ દાળમિલ રોડ સુરેન્દ્રનગર ખાતે કાર્યાલય ખુલ્લુ મુકાયુ હતુ.જ્યાં આગેવાનોએ બેઠક કરી હતી.જેમાં હાલ ચાલી રહેલ નારી સન્માનની લડાઇમાં ક્ષત્રીય સમાજ 18 એ વર્ણને જોડાવા આહવાન કરનાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy