રાજકોટ-અમદાવાદ સહિતના સેન્ટરોમાં તાપમાન ફરી ઉંચકાવા લાગ્યું

આશ્ચર્ય! ભરઉનાળે-આકરા તાપમાન વચ્ચે અનેક ભાગોમાં માવઠું

Gujarat, Saurashtra | Rajkot | 26 April, 2024 | 05:29 PM
ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ખેડા, વડોદરા સહિતના જીલ્લાઓમાં સવારે એકાએક હવામાન પલ્ટો: હળવો વરસાદ
સાંજ સમાચાર

► કેરીના પાક-ક્વોલીટીને નુકશાનીની ભીતિ: કૃષિ ક્ષેત્રે ઉનાળુ સિઝન હોવાથી ખેડૂતોમાં ચિંતા: હજુ 48 કલાક વાદળીયુ વાતાવરણ રહી શકે

રાજકોટ, તા.26
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ ફરી શરૂ થયો હોય તેમ તાપમાન ઉંચકાવા લાગ્યું છે ત્યારે ભાવનગર સહિત રાજ્યના કેટલાંક ભાગોમાં હળવો વરસાદ થતા આશ્ચર્ય સર્જાયું છે.
રાજ્યમાં ગઇકાલથી તાપમાનો પારો ઉંચે ચડવા લાગ્યો છે. રાજકોટ સહિત અનેક સેન્ટરોમાં પારો 40 ડીગ્રીને વટાવી ગયો છે. વલ્લભ વિદ્યાનગરમાં 42 ડીગ્રીએ પહોંચ્યો હતો. અમદાવાદ જેવા સેન્ટરોમાં 41 ડીગ્રીને પાર હતો.

હજુ આવતા દિવસોમાં સૂર્યકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં રાજ્યના કેટલાંક ભાગોમાં હવામાન પલ્ટો થવા સાથે માવઠા વરસ્યા હતા. રાજ્યના ભાવનગર, છોટા ઉદેપુર, ખેડા, નવસારી તથા આણંદ જીલ્લામાં ભરઉનાળે હળવો વરસાદ પડયો હતો. ભાવનગરમાં ચિત્રા, બોરતળાવ, કુંભારવાડા, દેસાઇનગર, રાજનગર સહિતના વિસ્તારોમાં ધૂપછાંવ વચ્ચે વાદળો સર્જાયા બાદ હળવો વરસાદ થયો હતો. વરસાદ ભીના થયા હતા. લોકોમાં પણ આશ્ચર્યસર્જાયું હતું. ખેતીમાં ઉનાળુ સિઝન છે. વધુ વરસાદ થાય તો નુકશાનીની બીકે ખેડૂતો ચિંતાતૂર બન્યા હતાં.

વડોદરામાં ન્યુ વીઆઇપી રોડ, સરદાર એસ્ટેટ, આજના રોડ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા વરસતા તાપમાનમાં પણ આંશિક રાહત થઇ હતી. સુરતના અનેક વિસ્તારોમાં પણ માવઠુ વરસ્યું હતું. માંડવી તથા ઉંમરપાડામાં તો ધોધમાર વરસાદનું ચિત્ર હતું. રસ્તા પર પાણી વહ્યા હતા. દાહોદમાં પણ વહેલી સવારે અમી છાંટણા થયા હતા.

વલસાડ જીલ્લામાં પણ હવામાન પલ્ટા વચ્ચે હળવા ઝાપટા પડ્યા હતા. નવસારી જેવા અન્ય ભાગોમાં પણ ચોમાસા જેવા વાદળીયા વાતાવરણ વચ્ચે હળવું માવઠુ થયું હતું. હવામાન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે દેશના ઉત્તર ભાગોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે.

પવનની દિશા પણ પશ્ર્ચિમ અને દક્ષિણ તરફથી છે. તેને કારણે ભેજ વધી જતા ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના ભાગોમાં હળવા માવઠા થયા હતા. પ્રિ-મોન્સુન એક્ટીવીટી અંતર્ગત પવનની ઝડપ વધુ હોવાથી દરિયાઇ ભેજ વાતાવરણમાં આવતા હજુ 48 કલાક વાદળીયા વાતાવરણની સ્થિતિ રહી શકે છે. પવનની દિશા બદલાતા ફરી હવામાન સ્વચ્છ થઇ જશે.

ભરઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા સર્જાઇ છે ઉનાળુ સીઝન છે, વધુ વરસાદ થાય તો નુકશાનીની બીકને કારણે ખેડૂતોમાં ચિંતા છે. ખાસ કરીને નુકશાન થઇ શકે છે. કેરીની ક્વોલીટી તથા સ્વાદ બગડી શકે છે. શાકભાજીને પણ નુકશાન થવાની ભીતિ છે.

► વરસાદ વચ્ચે પાટીલની બાઇક રેલી
લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જોરશોરપૂર્વક પ્રચાર કરી રહ્યા છે. નવસારીના ઉમેદવાર એવા પાટીલે બીલીમોરામાં પ્રચાર અર્થે બાઇક રેલી રાખી હતી અને ત્યારે જ  વરસાદ શરૂ થઇ ગયો હતો. જો કે રેલીમાં ઉપસ્થિત કાર્યકરોએ વરસાદની ચિંતા વિના કાર્યક્રમ ચાલુ જ રાખ્યો હતો. 200થી વધુ બાઇક ચાલકો ભીંજાયા હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj