જુનાગઢ, તા. 16
ફ્રીઝ કરેલા બેન્ક ખાતા અનસીઝ કરવાના બદલામાં પૈસા માંગી તોડ કરવાના કેસમાં સસ્પેન્ડ સીપીઆઇ તરલ ભટ્ે કરેલ જામીન અરજીમાં ન્યાયના હિતમાં આ અરજી કોર્ટે રદ્દ કરી હતી.
જુનાગઢ એસઓજી દ્વારા ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમ્સ રમતા લોકોના ખાતા સીઝ કરી તેને અનસીઝ કરવાના બદલામાં ખાતામાં જમા રકમની પ0 ટકા લાંચ પેટે માંગવાના મામલે એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ, એએસઆઇ દીપક જાની અને માણાવદરના સીપીઆઇ તરલ ભટ્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી હતી જેમાં પુરાવાના નાશ કરવાની કલમનો ઉમેરો કરવામાં આવેલ અને ચાર્જશીટ રજુ કરાયું હતું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 12 તેમજ કલમ 7 અન્વયે નોન કોગ્નિઝેબલ ગુના છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં કઇ કલમ જામીન લાયક છે કે કેમ તેનો ઉલ્લેખ નથી.
પરંતુ આવો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય ત્યારે ક્રિમીનલ પ્રો કોર્ડના શેડયુલમાં છેલ્લે કેટલી સજા હોય તે પોલીસ અધિકાર જામીન કે હાઇકોર્ટથી ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તે સૂચિ પ્રકરણ ર3માં છે. ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 7-12માં મહતમ સજાની જોગવાઇ 7 વર્ષ છે. આ ગુનો બિનજામીન લાયક હોવાથી સેશન્સ જજ એચ.એ.દવે એ બંને પક્ષની દલીલો ધ્યાને લઇ તરલ ભટ્ટ સીપીઆઇની જામીન અરજી રદ કરવાનો હુકમ કરતા આમ તરલ ભટ્ટને હજુ જેલમાં જ રહેવું પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy