(તસ્વીર: દિનેશ બગડીયા) બોટાદ તા.1
નસીબથી હારેલા, જીવનથી થાકેલા અને મનથી ભાંગેલા એવા ભવ્ય જીવોના ભેરૂ બનવા-જમીનમાંથી જાગેલા નારી સ્વરૂપે બનેલા તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવાન સવંત 1930 વૈશાખ સુદી પુનમને શુક્રવારના મહા શુભકારી દિવસે ભોયણીની સીમના ખેતરમાંથી સ્વયંભુ પ્રગટ થયેલ. વગર બળદે જોડેલા ગાડામાં બેસીને શ્રી મલ્લીનાથ પરમાત્મા ભોયણીની ભુખ ભાંગવા ભોયણી ગામમાં પધાર્યા. શ્રી મલ્લીનાથ પ્રભુ પધાર્યા ત્યારથી અનેક ચમત્કારોની હારમાળા સર્જાયેલ છે. ભોયણી તીર્થના અધિપતી શ્રી મલ્લીનાથ દાદાના પ્રાગટય વર્ષ 150 તા.23-5ને ગુરૂવારે બોટાદ ભોયણી પૂનમ મંડળ આયોજીત ભોયણી તીર્થમાં એક અબોલ પશુ-પક્ષીઓનું સ્વામિ વાત્સલ્સનું આયોજન કરવામાં આવેલ છે.
આ શુભ દિવસે આ પુણ્યભૂમી ઉપર જુવાર, દાળીયા, બીસ્કીટ, ચોકલેટ, લીસા લાડવા, લાપસી, ગાંઠીયા, ઘાસચારો, મકાઈ, કીડીને કીડીયારૂ તથા ચકલીના માળા, પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષે આજના પવિત્ર દિવસે બોટાદના ઉદારદીલ શ્રાવકો તરફથી કાયમી અનામત મુડીના વ્યાજમાંથી ‘સ્વામિ વાત્સલ્ય’નું આયોજન કરવામાં આવે છે. તેમજ પશુ-પક્ષીઓનું સ્વામિ વાત્સલ્ય સોળ વર્ષથી આયોજન કરવામાં આવે છે. આ સતરમું વર્ષ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy