રાજકોટ તા:3
એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્રના ઉપક્રમે યુનિસેફના સંકલનથી રાજકોટ ખાતે હરભમજીરાય ગરાસીયા છાત્રાલયમાં T 3 કેમ્પનું તા.02-07-2024ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 370 થી વધુ વિદ્યાર્થીઓમાં લોહતત્વની ઉણપ અંગેના પરિક્ષણની સાથે સાથે વજન અને ઉંચાઈની ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પ્રેરક ઉદબોધન કરતાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી એનિમિયામુકત ભારત અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. આ નિમિત્તે NCC રાજકોટ ઝોનના ગ્રુપ કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર એસ.સંજયે કેન્દ્ર અને રાજ્ય સરકાર નોકરીઓની ભરતીમાં જોડાવા અંગે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને સદાય તન અને મનથી સ્વસ્થ, તંદુરસ્ત અને સશકત રહીને ઉજજવળ કારકિર્દીનું ઘડતર કરવા શીખ આપી હતી.
આ કાર્યક્રમમાં કેપ્ટન જયદેવ જોશીએ લોહતત્વ વધારવાના ઘરગથ્થુ અને સરળ ઉપાયો જણાવી કિશોર - કિશોરીઓને તેમના રોજિંદા વ્યવહારોમાં પરિવર્તન લાવી એનીમિયા મુક્ત અને નિરોગી રહેવા સમજણ આપી હતી.આ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી હિમોગ્લોબીન ની ઉણપ ધરાવતા વિદ્યાર્થીઓને જરૂરી આઈ.એફ.એ. ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy