ઈસ્લામાબાદ,તા.9
પાકિસ્તાનના ગ્વાદરમાં એક જેટી પાસે આતંકી હુમલામાં સાત લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. અવારનવાર આ વિસ્તાર હુમલાનો ભોગ બની રહ્યું છે ત્યારે બલુચીસ્તાન સ્થિત ગ્વાદર બંદર પર આઠ આતંકીઓ ભારે હથિયાર સાથે ઘુસ્યા હતા અને તેઓએ સ્થળ પર જ અંધાધુંધ ગોળીબાર શરુ કર્યો હતો.
જેમાં જેટી પાસે આવાસ કવાર્ટરમાં રહેતા લોકો ભોગ બન્યા હતા. માર્યા ગયેલા તમામ ઉંઘમાં હતા તે સમયે જ આ હુમલો કરાયો હતો. હાલમાં જ પાકિસ્તાનમાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ 2023માં પાકિસ્તાનમાં 789 આતંકી હુમલા થયા અને તેમાં 1524 લોકોના મોત થયા હતા.
આજના હુમલા અંગે સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ તમામ આઠ આતંકીઓ હુમલો કરીને સલામત રીતે નાસવા જતા હતા પરંતુ બાદમાં સુરક્ષાદળોએ તેમને ઘેરી લીધા હતા અને તમામને ઠાર માર્યા છે. હુમલા સમયે આતંકીઓએ હેન્ડગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો હતો જેના કારણે અફડાતફડીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy