(જગદીશ રાઠોડ) ઉપલેટા, તા. ર7 અગામી તા. 4/5ના શનિવારે અખંડ ભુમંડલાચાર્યે જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ47માં પ્રાગટય દિવસ નિમિતે અહીંની સોની બજાર (શ્રી વ્રજભુવન) જુની હવેલીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ માટે અત્યારથી જ હવેલીને ધજા પતાકાથી શણગાર સહિતની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે બપોરે 12 વાગ્યે હવેલીમાં તિલકના દર્શન સાંજે પ વાગ્યે હવેલી ખાતેથી શણગારેલા વાહનોનો કાફલો સાથે ડીજે અને કીર્તન મંડળીના સથવારે એક ભવ્ય શોભાયાત્રા (વર્ણાંગી) નીકળશે જે શહેરના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરશે જેમાં ચોકે ચોકે ડીજેના તાલે બહેનો દ્વારા રાસની રમઝટ બોલાવાશે તેમજ શોભાયાત્રામાં જોડાયેલા વૈષ્ણભાઇ બહેનો માટે રસ્તામાં ઠેર ઠેર ભાવિકો દ્વારા સરબત ઠંડા પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહોત્સવના આયોજક સજાવટ ગ્રુપ દ્વારા એક યાદીમાં જણાવેલ છે કે ભાઇઓએ પુષ્ટિમાર્ગીય ડ્રેસ (ધોતી બંડી) અને બહેનોએ કેસરી સાડી સહિતના પરિધાન સાથે જોડાવાનું રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy