રાજકોટ, તા. 27
મુંબઇમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, શાંતિ સુધા પાર્ક, શાંતિ પથ, ગારોડીયા નગરની પાછળ, કુકરેજા ટાવર બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ) ખાતે ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રી કુલચંદ્રસૂરીજી (કે.સી.) મ.નો પ6મો જન્મોત્સવ તથા અમદાવાદના શ્રી પાર્શ્ર્વ પ્રેમધામ-રાંચરડાના નૂતન જિનાલયના પ્રતિષ્ઠા મુહૂર્ત અર્પણ કરવાનો એમ બંને પ્રસંગોની ઉજવણી આગામી તા.પમીના રવિવારે સવારે નવ વાગે થશે.
મુંબઇમાં વર્ષો બાદ આ.શ્રી કુલચંદ્રસૂરીજી (કે.સી.) મહારાજનો જન્મોત્સવ ઉજવાઇ રહ્યો છે. તેથી મુંબઇના સંઘોમાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. આ પ્રસંગે શ્રી પાર્શ્ર્વ-પ્રેમ ધામ, રાંચરડા, અમદાવાદ મધ્યે નૂતન જિનાલયમાં ભરાવવાનો, પ્રતિષ્ઠાનો તથા સંપૂર્ણ દેરીનો જે પરિવારોએ લાભ લીધો છે. તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિતિ રહેશે. પૂ. ગુરૂ ભગવંત સ્વહસ્તે લાભાર્થી પરિવારને મુહૂર્તનો પત્ર અર્પણ કરશે.
પૂ. ગુરૂદેવનો કાર્યક્રમ
ગચ્છાધિપતિ આ.ભ.પૂ. શ્રી કુલચંદ્રસૂરીજી (કે.સી.) મ. આદિ ઠાણા આજ તા. ર7 તથા ર8ના શ્રીધામ કલાસીક પ્રતિષ્ઠા મહોત્સવ, ગોરેગાંવ (વેસ્ટ)માં નિશ્રા આપશે. તેઓ રોયલ સમ્રાટ ઇવીંગ, 1લે માળે, એસ.વી.રોડ, ગોરેગાંવ (વેસ્ટ)માં સ્થિરતા કરશે. તા.ર9ના સોમવારે ડિવીનીટી (રેસકોર્સ)માં પધારશે. તા.30ના પ્રેઝન્ટ પેલેસ, નેપયન્સી રોડ, વાલકેશ્વર, તા.1-5ના સહસ્ત્રાવધાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.રના સવારે મરીન ડ્રાઇવ(પાટણવાળા), સાંજે ગોડીજી મંદિર, પાયધુની તા.3ના લોઅર પરેલ તથા તા. 4 થી 6 શાંતિ સુધા પાર્ક, ઘાટકોપર (ઇસ્ટ)માં બિરાજશે. ત્યાં તા.પમીના પૂ. ગુરૂદેવનો જન્મોત્સવ તથા પ્રતિષ્ઠા મુહૂર્ત પત્ર અર્પણ વિધિ કાર્યક્રમ તા. 7ના ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ)માં પધારશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy