જામ ખંભાળિયા, તા.25 ભાજપના આગેવાન પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા તાજેતરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે ટિપ્પણી કરાતા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો હતો. જેના અનુસંધાને ક્ષત્રીય સમાજ દ્વારા ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ રૂપાલાનો વિરોધ વ્યક્ત કરી તથા તેમની ટિકિટ રદ કરવાની માંગ સાથેનો વિરોધ ઉઠ્યો છે.ત્યારે ભાજપ દ્વારા પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા, રાજપુત સમાજમાં વધુ વિરોધ ઊઠવા પામ્યો હતો. ત્યારે દેવભૂમિ દ્વારકાથી રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા રથની શરૂઆત કરવામાં આવી છે અને ભાજપનો વિરોધ નારા સાથે આ રથ ગામેગામ ફરી ભાજપનો વિરોધ કરશે તેવું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજપૂત સમાજના આગેવાનોએ બુધવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અસ્મિતા રથનું પ્રસ્થાન કરાવ્યું હતું અને દ્વારકા તથા જામનગર જિલ્લાના અલગ-અલગ શહેરો, ગામો તથા ગામડાઓમાં ફરી જામનગર ખાતે પુર્ણાહુતિ કરી, ભાજપનો વિરોધ નોંધાવશે. ક્ષત્રિય રાજપૂત સમાજ જ નહીં તેમની સાથે અન્ય સમાજ પણ જોડાયેલ છે, રાજપુત સમાજ ફક્ત આ વખતની ચુંટણીમાં ભાજપનો વિરોધ કરશે એવું નથી, પરંતુ આગામી દરેક ચુંટણીમાં પણ ભાજપનો વિરોધ કરશે તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા છે. (તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy