ભાવનગરના દિહોર ગામે ચાલતી ભાગવત કથાનું સમાપન

વેદમાં જ્ઞાન, કર્મ અને ભકિતનું નિરૂપણ છે: પૂ.સીતારામ બાપુ

Local | Bhavnagar | 08 May, 2024 | 10:43 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.8
ધાંધલ્યા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત કથાના સમાપન કરતાં પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુએ કહેલ કે સત્કાર્ય ની કદી સમાપ્તિ થતી નથી, એક કાર્ય પૂર્ણ થાય તરત બીજું સત્કાર્ય શરૂ થઈ જાય છે. મનના મેલ દૂર કરવા સત્સંગ રૂપી જળમાં ન્હાવું પડે. નિર્ભય થવા માટે ઈશ્ર્વરનું શરણ લેવું પડે. સત્કાર્યનું ફળ ઈશ્ર્વરને અર્પણ કરીએ તો પ્રભુ કૃપા થાય છે. કથાની સમાપ્તિ વખતે ધાધલ્યા પરિવારના યુવાનોએ તમામ પ્રકારના વ્યસન છોડવા સંકલ્ય કરેલ.

સભામાં અંબિકા આશ્રમ - સાંગણાના સંત શ્રી રમજ બાપુ, કથાકાર હરેશભાઈ, પ્રવિણભાઈ તળાજાના પાલીવાલ સમાજના આગેવાન અંબાશંકર પંડ્યા, કિશોર ભટ્ટ વંદે માતરમ, મહાવીર રાવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવો દ્વારા વિષ્ણુ સહસ્ત્રનામ હવન અને વિશાળ મેદની સાથે. પોથી યાત્રા સાથે કથા નું સમાપન થયું હતું. કથાનો ઋણ સ્વીકાર ધાંધલા પરિવાર વતીશ્રી પંકજભાઈ તથા ભવાની ભાઈ ધાંધલા એ કરેલતથા સાતેય દિવસ કથા સંચાલન શરદ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj