ભાવનગર,તા.24
ભાવનગર શહેરના બોર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજયું છે.મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર (બોરતળાવ)માં ખોડીયાર માતાજીના મંદિર પાસે પાણીમાં એક લાશ તરતી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ નો સ્ટાફ દોડી આવ્યો હતો અને પાણીમાંથી લાશ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો.
મરનાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતો ચિરાગ રાજેશભાઈ પરમાર ઉં.વ. 20 હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy