વિરમગામ હાઇવે પર જખવાડા ગામ પાસે ઝાલોદ તરફથી આવતી જામનગર તરફ જતી દાહોદ-જામનગર એસટી બસ નંબર GJ-18-Z-8530ના ડ્રાઇવરને અચાનક ચક્કર આવતા એસ ટી બસને સાઈડમાં ઊભી રાખવા જતા એસ ટી બસ રોડ સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી અને દીવાલ સાથે અથડાઈ હતી.
આ બસના ડ્રાઇવર અને એક મુસાફરને સામાન્ય ઇજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા.આ એસટી બસમાં 41 કુલ મુસાફરોમાં સવાર હતા, જેમાંથી 40 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસટી બસને ભારે નુકસાન પહોંચ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy