રાજકોટ તા.3
જૈનાચાર્ય પૂ. ભુવનભાનુસૂરિજી મ.સમુદાયના, રાષ્ટ્રસંત, પદ્મભૂષણ, પ્રસિધ્ધ આધ્યાત્મિક પ્રવચનકાર આચાર્ય ભગવંત પૂ.શ્રી રત્નસુંદરસૂરિજી મ. આદિઠાણા જુલાઈમાં મહારાષ્ટ્રના ધુલીયામાં ચાતુર્માસ પ્રવેશ કરે તે પહેલા તેમના ફોટાનો ઉપયોગ કરીને ફરતો કરવામાં આવેલો એક ઘોષણા પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં 2024ના ચાતુર્માસ દરમ્યાન 12 નિયમો પાળવાની ઘોષણા કરી છે.
આ વીડિયો ગત તા.24 જાન્યુઆરીથી સોશ્યલ મીડિયા પર વાયરલ કરાયો છે. જોકે જૈનાચાર્ય રત્નસુંદરસુરિજી મહારાજે આવો ઘોષણાપત્ર પ્રસિધ્ધ કર્યો નથી. એવી સ્પષ્ટતા મહારાષ્ટ્રના ધુલીયાના શીતલનાથ ભગવાન જૈન સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા તા.26મી ફેબ્રુઆરીએ એક નિવેદન બહાર પાડીને કરવામાં આવી છે.
તેમણે દાવો કર્યો છે કે સોશ્યલ મીડિયા પર આ વીડિયો/પોસ્ટર આચાર્ય ભગવંતની છબી બગાડવાના ઈરાદાથી ચલાવવામાં આવી રહ્યો છે. અને આ પ્રકારની કોઈ જ વાત આચાર્ય ભગવંત દ્વારા કરવામાં આવી નથી. વીડિયો-પોસ્ટરમાં જણાવાયું છે કે ચાતુર્માસ પ્રવેશમાં આરંભ-સમારંભ નહિ હોય. ચઢાવો બોલાવાશે નહિ, પંડાલ નખાશે નહિ સહિતના બાર ઘોષણા કરાઈ છે જે ફેક છે.
આ અંગે આચાર્ય ભગવંત પૂ.શ્રી રત્નસુંદરસૂરિજી મહારાજ તરફથી ધુલીયાના શીતલનાથ ભગવાન સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવેલ છે કે વાઈરલ આ ઘોષણા પત્ર બનાવટી છે. આવા ઘોષણાપત્રથી જૈન સમાજ સહેજ પણ વિચલિત થયો નથી. બાડમેરના સુશ્રાવક આનંદભાઈ શાહે જણાવેલ છે કે કોઈએ આ ફેક વીડિયો બનાવ્યો છે. પૂજયશ્રીની વાણીથી લાખો લોકો જિનશાસનથી પ્રભાવિત થયા છે. આ વિરોધી તત્વો સમસ્ત જૈન સંઘ પર વર્ચસ્વ જમાવવા આવી પ્રવૃતિઓ કરતા રહે છે. જૈનાચાર્ય પૂ. ભુવનભાનુસૂરિજી મ.સમુદાયના, રાષ્ટ્રસંત, પદ્મભૂષણ, પ્રસિધ્ધ આધ્યાત્મિક પ્રવચનકાર આચાર્ય ભગવંત પૂ.શ્રી રત્નસુંદરસૂરિજી મ. આદિઠાણા જુલાઈમાં મહારાષ્ટ્રના ધુલીયામાં ચાતુર્માસ પ્રવેશ કરે તે પહેલા તેમના ફોટાનો ઉપયોગ કરીને ફરતો કરવામાં આવેલો એક ઘોષણા પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં 2024ના ચાતુર્માસ દરમ્યાન 12 નિયમો પાળવાની ઘોષણા કરી છે.
આ વીડિયો ગત તા.24 જાન્યુઆરીથી સોશ્યલ મીડિયા પર વાયરલ કરાયો છે. જોકે જૈનાચાર્ય રત્નસુંદરસુરિજી મહારાજે આવો ઘોષણાપત્ર પ્રસિધ્ધ કર્યો નથી. એવી સ્પષ્ટતા મહારાષ્ટ્રના ધુલીયાના શીતલનાથ ભગવાન જૈન સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા તા.26મી ફેબ્રુઆરીએ એક નિવેદન બહાર પાડીને કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો છે કે સોશ્યલ મીડિયા પર આ વીડિયો/પોસ્ટર આચાર્ય ભગવંતની છબી બગાડવાના ઈરાદાથી ચલાવવામાં આવી રહ્યો છે. અને આ પ્રકારની કોઈ જ વાત આચાર્ય ભગવંત દ્વારા કરવામાં આવી નથી.
વીડિયો-પોસ્ટરમાં જણાવાયું છે કે ચાતુર્માસ પ્રવેશમાં આરંભ-સમારંભ નહિ હોય. ચઢાવો બોલાવાશે નહિ, પંડાલ નખાશે નહિ સહિતના બાર ઘોષણા કરાઈ છે જે ફેક છે.
આ અંગે આચાર્ય ભગવંત પૂ.શ્રી રત્નસુંદરસૂરિજી મહારાજ તરફથી ધુલીયાના શીતલનાથ ભગવાન સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવેલ છે કે વાઈરલ આ ઘોષણા પત્ર બનાવટી છે. આવા ઘોષણાપત્રથી જૈન સમાજ સહેજ પણ વિચલિત થયો નથી. બાડમેરના સુશ્રાવક આનંદભાઈ શાહે જણાવેલ છે કે કોઈએ આ ફેક વીડિયો બનાવ્યો છે. પૂજયશ્રીની વાણીથી લાખો લોકો જિનશાસનથી પ્રભાવિત થયા છે. આ વિરોધી તત્વો સમસ્ત જૈન સંઘ પર વર્ચસ્વ જમાવવા આવી પ્રવૃતિઓ કરતા રહે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy