♦ ક્ષત્રિય મહિલાઓ વિશાળ પ્રમાણમાં ધર્મરથ યાત્રામાં જોડાયા: આશાપુરા-ભવાની માતાના દર્શન બાદ હવે સ્વાભિમાન લડાઈ બીજા તબકકામાં
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા અણછાજતા વિધાનો સામે ગુજરાતભરમાં આ વિશાળ સમુદાયના આંદોલન તથા રૂપાલા સહિત ભાજપના ઉમેદવારોને વિરુદ્ધ મતદાન માટેના સંકલ્પમાં આજે પાર્ટ ટુ યુદ્ધ શરૂ કર્યુ છે અને વિખ્યાત અંબાજી મંદિર, કચ્છમાં માતાજીના મઢ તથા રાજકોટમાં આશાપુરા માતાજીના મંદિર સહિત રાજયમાં 14 શક્તિ પીઠો પરથી ધર્મરથયાત્રાનો પ્રારંભ કર્યો છે.
જે રથ અલગ અલગ વિસ્તારોમાં ફરીને ભાજપ વિરુદ્ધ મતદાન માટે સંકલ્પ લેવરાવશે. આ આંદોલનમાં ક્ષત્રિય મહિલાઓ ખૂબજ અગ્ર ભૂમિકા ભજવી રહી છે. રૂપાલાએ ‘રોટી-બેટીના વ્યવહારો’ જેવું ક્ષત્રિય સમુદાય માટે જે અપમાનજનક વિધાનો કર્યા તેના ઘેરા પડઘા આ સમાજમાં પડયા છે.
ભાજપ માટે ડેમેજ કંટ્રોલ પણ મુશ્કેલ બની ગયુ છે અને તેના વિરોધમાં આજથી ધર્મરથ યાત્રાનો પ્રારંભ થયો છે જેમાં ક્ષત્રિય બહેનો અને અગ્રણીઓ વિવિધ વિસ્તારોમાં સભાઓને પણ સંબોધશે.
રાજકોટમાં આજે આશાપુરા મંદિર ખાતે સેંકડો ક્ષત્રિય બહેનોએ આશાપુરા માતાજીના દર્શન કરીને ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યુ હતું અને જય ભવાનીના નારા ગાજી ઉઠયા હતા. જે રીતે આજે રાજયભરમાં આ પ્રકારે ધર્મરથનું આયોજન થયું છે તેના કારણે આગામી દિવસોમાં આંદોલનને નવો વેગ પણ મળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy