(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.25 ધોરાજીમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર વ્યકિત ઓના પરિવાર માટે રૂ।ાર-ચાર લાખની સહાય મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ અંગે માનવ સેવા યુવક મંડળ દ્વારા કરાયેલ સફળ રજૂઆત રંગ લાવેલ છે. તાજેતરમાં ધોરાજીના સેવાભાવી યુવાન કાર મારફતે માડાસણ ગામે દર્શનાર્થે ગયેલ અને પરત ફરતા ધોરાજી પાસે આવેલ ભાદર નદીમાં કાર અકસ્માતે પડી જતાં દિનેશભાઈ દામજીભાઈ ઠુંમર (ઉ.વ.55) રહે ધોરાજી (2)લીલાવંતીબેન દિનેશભાઈ ઠુંમર (પત્ની ઉપર પર) તેમજ પુત્રી હાર્દીકાબેન દિનેશભાઈ ઠુંમર (ઉ.વ.22) અને સંગીતાબેન પ્રવિણભાઈ કોયાણીના મોત નિપજેલ હતાં. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોંલકી એ મુખ્યમંત્રીને રજૂઆત કરી આ અકસ્માતમાં મરણજનારના પરીવારને સહાય આપવા માંગણી કરી હતી. આ મરણ જનાર ચારે લોકોના રાઝડાન પણ કરાયા હતાં.ધોરાજીના અન્ય લોકોએ પણ મૃતકોના પરીવાર જનોને સહાય આપવા અંગે રજુઆતો કરેલ હતી. આ તકે માનવ સેવા યુવક મંડળના આ બનાવમાં મુખ્યમંત્રી દ્વારા ચાર -ચાર લાખની સહાય મંજુર કરી દેવાયેલ છે. ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોંલકીએ મૃતકોના પરીવાર જનોને સહાય આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy