જામનગર તા. 26
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલ સનસીટી-2 વિસ્તારમાં એક કરોડના ખર્ચે બનનાર નવી મસ્જિદ મસ્જીદે મૌલા અલીની પાયાવિધિ કરાઇ હતી.
આ પ્રસંગે કાઝી- એ ગુજરાત હાજી સૈયદ સલીમ બાપુએ પોતાના સંબોધનમાં જણાવેલ કે મસ્જિદના બાંધકામમાં કોઇપણ જાતનો ભોગ આપનારાને અલ્લાહ જરૂરથી બદલો આપે છે, તેથી તેમણે સોસાયટીના રહેવાસીઓ તેમજ આજુબાજુના મુસ્લિમોને મસ્જિદના કામમાં જોડાવવા માટે અપીલ કરી હતી.
સનસીટી-2 વિસ્તારમાં સાડા ત્રણસોથી વધુ મુસ્લિમ પરિવારો વસવાટ કરે છે. પરંતુ આ સોસાયટીમાં મસ્જિદ ન હોવાના કારણે નમાઝ પઢવા માટે અન્ય સોસાયટીમાં આવેલ મસ્જિદોમાં નમાઝ પઢવા માટે જવું પડતું હતું. જેથી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત સનસીટી-2 ના પ્રમુખ ઝાહીરભાઇ રાઉમા સહિતના હોદ્દેદારો દ્વારા આ વિસ્તારમાં નવી મસ્જિદ બનાવવાનો નિર્ધાર કરવામાં આવેલ. અને મસ્જિદ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થતાં ગઇકાલે પાયાવિધિનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન પદે કાઝી-એ ગુજરાત મૌલાના હાજી સૈયદ સલીમબાપુ નાનીવાલા, રોશનશાહ દરગાહના ખાદીમ અને રતનબાઇ મસ્જીદના ટ્રસ્ટી સૈયદ એજાઝ અહેમદ ચિસ્તી, રાબીયા મસ્જીદ- નુરી પાર્કના પેશ ઇમામ સૈયદ અબ્બાસ બાપુ મોતીયુવાલે, અહેમદ રઝા મસ્જિદ - અલ- સફા પાર્કના પેશ ઇમામ હાફીઝ ગુલ્ફામ હસન, ધુંવા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અબ્દુલ રજાક, કારી મૌલાના નૌશાદ આલમ સૈયદ કારી મોહમદ હનીફબાપુ કાદરી, સૈયદ ઇમ્તીયાઝબાપુ જુલેખા મસ્જીદના પ્રમુખ હાજી ગુલઝારભાઇ ખીરા, જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી રસીદ મહમદ હનીફ ગુડબક, વોર્ડ નં. 12 ના કોર્પોરેટર અલ્તાફભાઇ ખફી, જૈનબબેન ખફી, હાજી મહમદ હુશેન અલારખાભાઇ ઓડીયા (મોટાભાઇ) સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રેમને સફળ બનાવવા સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત સનસીટી-2ના પ્રમુખ ઝાહીરભાઇ રાઉમા ઉપપ્રમુખ મહોમદભાઇ ખીરા ટ્રસ્ટીઓ અકબરભાઇ મુલ્લા, અસગરભાઇ ખફી, હસનભાઇ ખુરેશી, મોહમદ સિદીકભાઇ મેત્તર, હેદરભાઇ જરવાર, અસ્લમભાઇ ખત્રી, રફીકભાઇ ખીરા, ઇકબાલભાઇ સમા, અનવરભાઇ ઘોઘા, શાહરૂખભાઇ જુણેજા, બાહસન અબ્દુલ કરીમ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy