ધોરાજીમાં તા.23થી લાલશાહ વલીના ચાર દિવસીય ઉર્ષનો થશે પ્રારંભ

Local | Dhoraji | 20 April, 2024 | 12:27 PM
સૌરાષ્ટ્રમાં કોમી એકતાને જીવંત રાખનાર લાલશાહવલીના ઉર્ષની શાનદાર ઉજવણીમાં હજારોની સંખ્યામાં હિંદુ-મુસ્લિમ બિરાદરો આવી પહોંચશે
સાંજ સમાચાર

સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.20
ધોરાજી ખાતે 23થી લાલશાહવલીનો ચાર દિવસીય ઉર્ષ શરીફ પ્રારંભ થશે આજે પણ સૌરાષ્ટ્રમાં કોમી એકતાને જીવંત રાખનાર અને હિન્દુ મુસ્લીમ બિરાદરો દરરોજ હજારોની સંખ્યામાં લાલશાહ વલીની દરગાહ પર પહોંચીને માથુ નમાવવામાં આવે છે.

લાલશાહ વલીના ચાર દિવસીય ઉર્ષ શરીફનો પ્રારંભ તા.23થી થનાર છે. જેમાં પ્રથમ દિવસે 3 વાગ્યે દરગાહ શરીફ ખાતે દરગાહના ખાદીમનું ફુલહાર કરી સન્માન અને ત્યારબાદ સંદલ શરીફ નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરશે અને રાત્રે દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે. ઉર્ષના ચાર દિવસ સુધી દરગાહ શરીફ પર અનેક ધાર્મિક કાર્યક્રમો કવાલી સહીતના ધાર્મીક કાર્યક્રમો યોજાશે. અંતીમ દિવસે વહેલી સવારે ગુસ્લ શરીફની રશમ બાદ ઉર્ષની પૂર્ણાહુતિ થશે.

ઉર્ષ નિયમીત દરગાહ શરીપના પટાંગણમાં ફકીર લંગર નિયાજ કમીટી દ્વારા દર્શનાર્થીઓ માટે વેજીટેબલ પ્રસાદીની નિ:શુલ્ક વ્યવસ્થા ફકીર લંગર કમીટીના લાલુભાઈ સીંધી અને હનીફભાઈ મોજોઠી તરફતી કરવામાં આવશે. ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, મુસ્લીમ સમાજ અગ્રણી મકબુલભાઈ ગરાણા, મહમદ કાસીમ ગરાણા, શબીરભાઈ ગરાણા, અબ્દુલભાઈ નાલબંધ સહીતના આગેવાનો યુવાનો બહારગામથી ઉપસ્થિત રહેનાર મહેમાનો ઉર્ષનો આનંદ માણશે તેમ દરગાહ શરીફના ખાદીમની યાદીમાં જણાવવામાં આવે છે.

ઉર્ષ પ્રસંગે દર્શનાર્થીઓને નિ:શુલ્ક વેજીટેબલ પ્રસાદી અપાશે
ધોરાજી તા.20

 ઉર્ષ નિયમીત દરગાહ શરીફના પટાંગણમાં ફકીર લંગર નિયાજ કમીટી દ્વારા દર્શનાર્થીઓ માટે વેજીટેબલ પ્રસાદીની નિ:શુલ્ક વ્યવસ્થા ફકીર લંગર કમીટીના લાલુભાઈ સીંધી અને હનીફભાઈ મોજોઠી તરફથી કરવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj