(દેવાભાઇ રાઠોડ) પ્રભાસ પાટણ તા. શ્રીરામ ઓડિટોરિયમ,સોમનાથ ખાતે ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની 133મી જ્ન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાતની વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રો. રમેશ મકવાણાને પદ્મશ્રી પ્રેમજીત બારીયાના હસ્તે શાલ ઓઢાડી અને ‘સમાજ રત્ન એવાર્ડ’ એનાયત કરવામાં આવેલ હતો. તેઓને ડો. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ અને રૂપિયા એક લાખ રૂપિયા ગુજરાત સરકાર તરફથી એનાયત થયેલ છે.પ્રો. મકવાણાનું સૌથી મહત્વનુ પ્રદાન ગુજરાતનાં મહિલા સરપંચોના પ્રશ્ર્નો જાણી અને તેના ઉકેલની દિશા બતાવવામાં પ્રભાવક કાર્ય કર્યું છે. પંચાયત ક્ષેત્ર સાથે સંકળાયેલ મહિલાઓના સશક્તિકરણ માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રો. મકવાણાનું સૌથી મૂલ્યવાન યોગદાન ગુજરાતનાં અનેક યુવાનોમાં નશામુક્તિ, કુરિવાજો નાબૂદી, વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ લાવવી,પર્યાવરણ જાગૃતિ, સમાજમાં સમરસતા સ્થાપિત કરવા પ્રયાસો કરવા,દહેજ મુકત લગ્નો અંગે જાગૃતિ લાવવી,સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને જાગૃત કરવા અને બેટી-બચાવો,બેટી પઢાવો અંગે લોક જાગૃતિ ફેલાવવામાં ભગીરથ કાર્ય કર્યું છે. ડો. મકવાણા યુવાનોમાં સામાજીક પરિવર્તનની મિશાલ પ્રગટાવી રહ્યા છે. પ્રો. મકવાણાની હાલ ભારત સરકારના આદિવાસી નીતિ આયોગમાં વિષય નિષ્ણાંત તરીકે અને બાબુ જગજીવન રામ નેશનલ ફાઉન્ડેશન ભારત સરકાર દિલ્હીમાં સભ્ય તરીકે નિમણૂંક પામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy