ઉના,તા.16
ગીરગઢડા તાલુકા નાં નિતલી ગામે સરકારી પ્રાથમિક શાળા નાં આચાર્યો નાં વાલી વિધાર્થીઓ સાથે વાણી વિલાસ વર્તન ખરાબ કરીને શાળા એ આવતાં અભ્યાસ અર્થે બાળકો પાસે ટોયલેટ પાણીનાં ટાંકા સાફ કરાવાતાં હોવાનો આક્ષેપ તાલુકા શિક્ષણ અધિકારી હરેશભાઈ વાઢેર તેમજ તેમની ટીમ દ્વારા તપાસ અર્થે પહોંચ્યા હતાં
શાળનાં આચાર્ય સોજીત્રા શોભનાબેન બાબુભાઈ અને તેનાં પતિ સરકારી કર્મચારી નહીં હોવાછતાં શાળામાં અન અધીકૃત આવતાં હોવા અંગેની અરજી ની તપાસ કરતાં શાળા માં ધોરણ 3નાં વિધાર્થીનાં વાલી કાજલબેન ભેડા સાથે 26 જાન્યુઆરી 2024 નાં સાંસ્કૃતિક કાર્યક્રમો માં નહીં રાખવા બાબત રજૂઆત કરતાં આચાર્ય દ્વારા વાલી સામે ઉશ્કેરાઈ ને કહેલ કે તમારા બાળક નું એલ સી કાઢી લો અને આચાર્ય નાં પતિ શિક્ષક ન હોવાં છતાં પણ વાલી સાથે ઉધ્ધાતાઇ ભર્યું વર્તન કરેલ જે બાબત નું રેકોર્ડિંગ રજૂ કરતાં જે પર થી સ્પષ્ટ થયેલ કે આચાર્ય અને તેનાં પતિ દ્વારા ન શોભે તેવું વર્તન કરવામાં આવેછે અને આ બાબતે લેખીતમાં ભુલ સ્વિકારી ને નિવેદન માં માફીપત્ર તપાસ ટીમ સમક્ષ આપેલ હતું
નીતલી ગામ ની પ્રાથમિક શાળા નાં આચાર્ય સોજીત્રા શોભનાબેન બાબુભાઈ દ્વારા શાળા નાં વિદ્યાર્થીઓ વાલીઓ પ્રત્યે નું વર્તન એક શિક્ષક આચાર્ય તરીકે યોગ્ય ગણી શકાય તેમ નહીં હોવાનું બહાર આવતાં પાંચ મુદ્દે થયેલી તપાસમાં ત્રણ મુદ્દા સ્પષ્ટ રીતે તપાસ માં સાબીત થતાં શાળા માં આવી ગેરવર્તણૂક આચરતાં દોષીત જણાતાં સેવા શિસ્તના નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવાં તાલુકા શિક્ષણ અધિકારી હરેશભાઈ વાઢેર દ્વારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ તપાસ એહવાલ મોકલાયો હતો
તાલુકા શિક્ષણ અધિકારી ની ટીમે ફરીયાદી પક્ષ ને સાંભળતાં તેમજ ઓડીયો કિલીપ રજુ કરતાં મહિલા શાળા આચાર્યએ પોતાની ભુલ નું પાશ્રચિત કરી માફી માગવા લાગ્યા હતા અને લેખીતમાં પોતાની ભુલ સ્વિકારી લીધી હતી
તપાસ ટીમ નાં અધિકારી એ પાંચ મુદ્દે તપાસ કરેલ તેમાં શાળા માં અભ્યાસ કરાવતાં ત્રણ આ.શિક્ષકો રોશની બેન પ્રતાપભાઈ, અભિષેક કાન્તીલાલ અગ્રાવત,અજના બેન બારડ એ તપાસ ટીમ સમક્ષ આચાર્ય નો પર્દાફાશ કર્યો હતો અને પોતાના નિવેદન માં લખાવ્યું હતું કે આચાર્ય શાળા નાં વિદ્યાર્થીઓ પાસે સંડાસ બાથરૂમ અને પાણી નાં ટાંકા ની સેનીટેશન સફાઈ ની કામગીરી કરાવે છે.
સરકારી ગ્રાન્ટ અંગે સ્ટાફ સાથે મીટીંગ કરતાં નથી શિક્ષકો ને વિશ્વાસ માં લેવાતાં નથી શાળા ની જરૂરીયાત સુવિધા ઉપલબ્ધ કરવાં બાબતે અભિપ્રાય સુચનો ધ્યાને લેતાં નથી વાણી વર્તન વિધાર્થીઓ સાથે યોગ્ય નથી એક શિક્ષક ને શોભે નહીં તેવાં શબ્દો ઊચારતા હોય છે અને પતિદેવ શિક્ષક નહીં હોવા છતાં શાળા એ અવાર નવાર આવેછે તેવું જણાવેલ હતુ
ગીરગઢડા તાલુકા ઈનચાર્જ શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર એ જણાવ્યું હતું કે આચાર્ય છેલ્લા ત્રીસ વર્ષ થી સ્થાનિક હોવાથી ફરજ બજાવે છે છતાંય સંખ્યા વધી નથી તેમનાં વાણી વર્તન અવે વિલાસ નાં કારણે ફરીયાદો ઉઠી છે તાત્કાલિક ધોરણે આચાર્ય નો ચાર્જ અન્ય શિક્ષક ને સોંપવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy