રાજકોટ,તા.6
ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજ અંગે પરસોતમ રૂપાલાએ કરેલા વિધાનો બાદ આ સમુદાય જે રીતે રાજ્ય વ્યાપી આંદોલન છેડી દીધું તેના સંયમ અને શિસ્ત એ સૌના ધ્યાને આવી ગયા.
રાજકોટમાં વિશાળ સંમેલન મળ્યું તેમાં લાખો ક્ષત્રિયો ઉમટ્યા હતા પરંતુ ત્યાં આ સંમેલનની કોઇ ખોટી અસર જોવા મળી નહીં. ક્ષત્રિય અગ્રણીઓને ઉશ્કેરવા માટે પણ અનેક પ્રયત્નો થયા હતા પરંતુ આ સમુદાયના અગ્રણીઓએ ભાષાનો સંયમ પણ ગુમાવ્યો નહીં.
આંદોલન કેમ કરી શકાય અને છેક વડાપ્રધાન સુધી કેમ નોંધ લેવી પડે તે આ સમુદાયએ દર્શાવ્યું છે અને સરકારને આંદોલન તોડી પાડવાની એક પણ તક આપી નહીં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy