2021 બાદ દેશમાં એકપણ કોવિશિલ્ડ ઉત્પાદન થયુ નથી: કંપની

કોવિશિલ્ડની ગંભીર સહિતની આડઅસરો અંગે પેકીંગમાં જણાવાયુ હતુ : સીરમ

India | 09 May, 2024 | 12:18 PM
વેકસીન વિવાદમાં સ્પષ્ટતા: ટીટીએસ સહિતની આડ અસરોથી અગાઉથી જ માહિતી અપાઈ હતી: દેશમાં 2021માં ગંભીર આડઅસરના 31 કેસ નોંધાયા: 18ના મોત થયા હતા: બાદમાં સર્વે થયો નથી
સાંજ સમાચાર

નવી દિલ્હી: દેશમાં કોવિડકાળમાં આશિર્વાદ રૂપ બનતી કોવિશિલ્ડ સહિતની કોરોના વેકસીન વિવાદમાં ફસાઈ છે અને ખાસ કરીને ભારતમાં પણ જે વ્યાપક અને ડબલ ડોઝ ઉપરાંત જેના બુસ્ટર ડોઝ પણ અપાયા છે તે કોવિશિલ્ડ વેકસીનની ગંભીર આડઅસરમાં મગજમાં લોહીના ગઠ્ઠા જામી જવા સહિતની અસરો થઈ છે તેવા ધડાકા બાદ આ વેકસીનના વૈશ્વિક નિર્માતા એસ્ટ્રોજેનેકા એ વિશ્વભરમાં કોવિશિલ્ડ અને તેના અન્ય બ્રાન્ડનેમની વેકસીન પરત ખેચવાની જાહેરાત કરી છે.

આ વચ્ચે ભારતમાં કોવિશિલ્ડના નિર્માતા પૂના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટે જાહેર કર્યુ છે કે, તેના દ્વારા ડિસેમ્બર 2021માં જ કોવિશિલ્ડ ઉત્પાદન બંધ કરાયુ છે અને કંપનીએ એ પણ ખુલાસો કર્યો છે કે આ વેકસીનની ગંભીર સહિતની તમામ સાઈડ ઈફેકટ અંગે કંપનીએ અગાઉથી જ તમામ માહિતી ઉપલબ્ધ બનાવી હતી અને વેકસીન પેકમાં પણ તે અપાઈ હતી.

બ્રિટીશ ફાર્મા કંપની સામે તેની બ્રાન્ડની વેકસીનની આડ અસર અંગે અદાલતી દાવા થયા છે અને જંગી વળતરનો વિવાદ પણ બહાર આવ્યો છે તો ભારતમાં પણ જે રીતે હૃદયરોગ કે કાર્ડિયાક એરેસ્ટ સહિતની યુવા સહિતના મોતનું પ્રમાણ વધવા લાગ્યુ છે તેના માટે વેકસીનને દોષ અપાય છે અને અદાલતી દાવાની તૈયારી છે તે સમયે સિરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાએ ગઈકાલે જાહેર કર્યુ કે કંપનીએ ડિસે.2021થી જ આ વેકસીનનું ઉત્પાદન બંધ કર્યુ છે.

કંપનીના પ્રવકતાએ કહ્યું કે, વેકસીનના ડોઝના રોલઆઉટ સમયને અમોએ આ વેકસીનની બહું ભાગ્યે જ થતી આડઅસર સહિતની સાઈડ ઈફેકટ અંગે માહિતી જાહેરમાં ઉપલબ્ધ બનાવી જ હતી. કંપનીના વેકસીન પેકીંગમાં પણ ટીટીએસ નામે થતી બિમારી જેમાં લોહીના ગઠ્ઠા જામવા સહિતની ફરિયાદો અંગે માહિતી ઉપલબ્ધ બનાવી હતી અને તે પેકીંગમાં લખાઈ જ હતી. કંપનીના પ્રવકતાએ જણાવ્યું કે 2021 અને સુધીમાં મોટાભાગના ભારતીયોનું વેકસીનાઈઝ થઈ ગયુ હતું અને 2022 બાદ નવા વેરીએન્ટનું આગમન થયા બાદ વેકસીનેશન પણ ઘટતી ગઈ હતી.

ભારતમાં કોવિશિલ્ડના 220 કરોડ ડોઝ અપાયા જે કુલ વેકસીનાઈઝેશનના 70% જેટલો છે. ભારતમાં વેકસીન સામે પ્રશ્ન ઉભા થયા બાદ સરકારે નિયુક્ત કરેલી કમીટી મુજબ ટીસીએસના 36 કેસ નોંધાયા હોવાનું અને 18 લોકોના મોત થયાનું પણ સ્વીકાર્યુ હતું જે 2021ના જ મોટાભાગના કેસ નોંધાયા હતા.

 

વેકસીનની ગંભીર આડઅસરથી ભારતમાં મોતની સંખ્યા ઉંચી હોવાનો અંદાજ: દેશવ્યાપી લડત અપાશે
બે પુત્રીઓ ગુમાવનાર ગોવિંદન દ્વારા તૈયારી

નવી દિલ્હી: દેશમાં કોવિશિલ્ડ સહિતની વેકસીનની આડઅસર અંગે કોઈ સર્વે જ થયો નથી તેથી જે રીતે દેશમાં યુવાવર્ગમાં હૃદયરોગ-કાર્ડિયાક એરેસ્ટ ઉપરાંત અન્ય જે મુશ્કેલીઓ છે તેમાં વેકસીનની ભૂમિકા અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી પણ જેઓએ પોતાના સંતાનો કે કુટુંબના સભ્યો આ પ્રકારની અસરથી ગુમાવ્યા છે. તેઓનો દાવો છે કે વેકસીનની સાઈડ ઈફેકટથી પોતાનું પ્રમાણ આપણે ધારીએ છીએ તેના કરતા વધુ અને મોટુ હોઈ શકે છે.

આ અંગે કોઈ સર્વે કે અભ્યાસ થયો નહી હોવાથી જો કે કોવિડ વર્કીંગ ગ્રુપ કહે છે કે વેકસીનના કારણે લોહીના ગઠ્ઠા જાળવવા સહિતના કારણોથી મોતની સંખ્યા અત્યંત નીચો હોઈ શકે છે. ઉપરાંત શરીરના અન્ય કોમ્પ્લીકેશનની પણ તેમાં ભૂમિકા હોય છે.

હવે વેકસીનની કોઈ લાંબાગાળાની આડઅસર નથી તે નિયમ છે. સરકાર પાસે જે ડેટા છે તેને પણ ગંભીરતાથી ઉપલબ્ધ બનાવાયા નથી. હવે આ અંગે વળતરનો દાવો કરીને એક વાલી જેણે પોતાની બે પુત્રીઓને ગુમાવી છે તેમાં દેશભરમાં આ પ્રકારના કેસમાં ભોગ બનનાર વાલીઓ તથા કુટુંબને એક પ્લેટફોર્મ પર લાવવા તૈયારી કરી છે અને એક સામુહિક લડત અપાશે તેવો સંકેત છે.

વેકસીનની આડઅસરનો સમય પુરો હવે ગભરાવવાની જરૂર નથી: નિષ્ણાંતોનો મત
જેઓએ વેકસીન લીધી નથી તેઓએ હવે તે લેવાની જરૂર પણ નથી: અભિપ્રાય
નવી દિલ્હી: 

ભારતમાં કોવિડ વેકસીનની ગંભીર સહિતની આડઅસર અંગે લોકોમાં ચિંતા છે અને ખાસ કરીને હાલમાં જ અચાનક જ કાર્ડિયાક એરેસ્ટ સહિતના કારણ થતા મૃત્યુ વધી ગયા છે તેમાં વેકસીનની ભૂમિકા અંગે જો કે કોઈ નકકર માહિતી બહાર આવી નથી પણ ડો. અંજુમનકુમારે સાદી સલાહ આપતા કહ્યું કે જે લોકોએ કોવિશિલ્ડ અને અન્ય વેકસીન લીધી છે.

તેઓએ ગભરાવવા કે ડરવાની જરૂર નથી અને જેઓએ અત્યાર સુધી કોવિડ વેકસીન લીધી નથી. તે હવે આ વેકસીન ન લે તે સલાહભર્યુ હશે. તેઓએ કહ્યું કે, ભારતમાં વેકસીનની આડઅસર અંગે કોઈ અભ્યાસ જ થયો નથી પણ જેઓએ કોરોનાકાળમાં કોવિશિલ્ડ લીધી છે. તેણે ગભરાવવાની જરૂર નથી. કારણ કે હવે સાઈડ ઈફેકટનો સમય વિતી ગયો છે તેથી હવે તે થવાની સંભાવના નથી.પરંતુ તેઓએ હજુ સુધી વેકસીન લીધી નથી. તેઓએ હવે લેવાની જરૂર નથી. હવે કોરોનાની અસર પણ નથી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj