‘ધર્મગાથા’નું દ્વિતિય ચરણનું નાટક 7 જુલાઈએ હેમુગઢવી હોલમાં રજુ થશે

Local | Rajkot | 03 July, 2024 | 03:55 PM
મહાભારતના પ્રસંગ સાથે સરખાવી સાચા પ્રેમલગ્નની વ્યાખ્યા દર્શાવાશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.3
 ટીમ નાટ્યમ અને શેર વિથ સ્માઈલ એનજીઓ એ ગત વર્ષે ઓક્ટોબર માસમાં ‘ધર્મગાથા’ નાટક સફળતા પૂર્વક રજુ કરવામાં આવ્યું હતું.જેમાં મહાભારતના પ્રસંગો રજૂ કરી સમાજની હાલની સમસ્યાઓ મુજબ માનસિક તણાવ અને તેનો ઉકેલ આપણા સાંસ્કૃતિક ગ્રંથોમાંથી જ મળી શકે છે તે વાત નું પ્રમાણ પૂરું પાડયું હતું. આ પ્રથમ ચરણને મળેલ બહોળા પ્રતિસાદ બાદ ફરી એક વખત આગામી 7 જુલાઈ 2024ના રોજ, હેમુ ગઢવી હોલ ખાતે ધર્મગાથા -દ્વિતીય ચરણ રજૂ કરવા જઈ રહ્યું છે. 

આજની જનરેશનમાં ધર્મગાથાનું સિંચન થાય તે માટે એક અનોખો પ્રયાસ ટિમ નાટ્યમના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્યત્વે યુવાનોમાં વધતા પ્રેમલગ્નના ચલણને મહાભારતના પ્રસંગ સાથે સરખાવી પ્રેમલગ્નની સાચી વ્યાખ્યા દર્શાવવા પ્રયાસ કરાયો છે અને કળિયુગની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી કળિયુગ વિશેની ખાસ 5 વાતો લોકો સમક્ષ રજૂ કરી જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો છે.

‘ધર્મગાથા’ આગામી 7 જુલાઈ, 2024 અને રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે હેમુગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં પ્રોફેશનલ કલાકારો નો સમાવેશ રહેશે. અને રાજકોટના નામી અનામી લોકો મહેમાન સ્વરૂપે પધારી આ નાટકની શોભા વધારશે. આ નાટકના ડિરેક્ટર દેવર્ષિ હરેશભાઇ પંડયા, કોડીરેક્ટર દુર્ગેશસિંહ જાડેજા, ક્રિએટિવ ડિરેક્ટર હર્ષ પંડ્યા અને લેખિકા હીના યાજ્ઞિક સાથે રાજકોટના 15 થી 20 નામી કલાકારો દ્વારા આ નાટક ભજવવામાં આવશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj