રાજકોટ. તા.27
વાણીયાવાડી શેરીમાં રહેતાં વૃધ્ધ દંપતી દ્વારકા દર્શને ગયાં અને પાછળથી ત્રાટકેલા તસ્કરો રોકડ રૂ.8 સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે વાણીયાવાડી શેરી નં.3 માં વિશાખા પેલેસમાં રહેતાં વિજયભાઈ ચુનીભાઇ મારૂ (ઉ.વ.62) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નિવૃત જીવન ગાળે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. મોટો પુત્ર જામવંથલીમાં રેલ્વેમાં અને તેનાથી નાનો પુત્ર અમદાવાદ નોકરી કરે છે.
ગઇ તા.24/04 ના તેઓ તેમના પત્ની અને અન્ય પરીવાર સાથે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા દ્વારકા જવાનુ હોય જેથી ટ્રાવેલ્સમાં રાત્રીના બારેક વાગ્યે ઘરને તાળુ મારી તેઓ પત્ની સાથે દ્વારકા દર્શન કરવા માટે નીકળેલ હતા.
ત્યારબાદ ગઇ તા.25 ના રાત્રીના દ્વારકાથી દર્શન કરી ઘરે પરત આવીને જોયેલ તો ઘરની ડેલીને તાળુ ખોલીને ઘરની અંદર ગયેલ અને મુખ્ય દરવાજા પાસે જતા મુખ્ય દરવાજાનુ તાળુ નીચે પડેલ જોવામાં આવેલ જેથી ઘરમાં અંદર જતા કબાટમાં રહેલ કપડા લતા વેર-વિખેર હાલતમાં બહાર પડેલ હતા અને કબાટમા પર્સમાં રાખેલ રોકડા રૂ.8 હજાર તેમજ અલગ-અલગ બેંકની પાસબુક, એ.ટી.એમ કાર્ડ જોવામાં આવેલ નહી, જેથી કોઈ અજાણ્યાં શખ્સો ઘરમાં ઘુસી કબાટમાં રાખેલ રોકડ રૂ.8 હજાર ભરેલ પર્શની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ પ્રિયાબેન ગોહિલ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy