યુદ્ધના કારણે કેવિન પીટરસને ફલાઈટનો માર્ગ બદલ્યો

World, Sports | 15 April, 2024 | 05:44 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.15 
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનમાં કોમેન્ટ્રી કરી રહેલા ઈગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન મુંબઈ આવી રહ્યા હતા ત્યારે ઈરાને ઈઝરાયેલ પર અને મિસાઈલ છોડતા પરત ફરવું પડ્યું હતું. પીટરસનની ફ્લાઈટને પરત મોકલવામાં આવી હતી. પીટરસે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ મેચમાં કોમેન્ટ્રી કરવાની હતી.

42 વર્ષિય પીટરસને જણાવ્યું હતું ઈરાન દ્વારા છોડવામાં આવેલ મિસાઈલ્સ વચ્ચે તેમની ફ્લાઈટને પરત મોકલવામાં આવી હતી. અલબત આ સ્ટાર પ્લેયરે જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા પર તેણે લખ્યું કે આ પહેલી વખત છે. ગઈકાલે રાત્રે અમારા વિમાનને પરત જવું પડ્યું હતું અને ઈંધણનો વધુ એક બોજ સહન કરવો પડ્યો હતો. કારણ કે અમે ઈરાનની મિસાઈલોથી બચવા માટે ફરીથી માર્ગ બદલ્યો હતો. હું મારા પસંદગીના ક્રિકેટ મેદાનમાં પહોંચી ચુક્યો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પીટરસન સતત કોમેન્ટ્રી આપી રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસના બ્રેક અથવા તો જરૂરી કામને લીધે પરત ફર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર 300થી વધારે મિસાઈલ છોડવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj