રાજકોટ તા.16
શહેરમાં રૈયાધાર પાણીનાં ટાંકા પાસે શાંતિનગરમાં રહેતો યુવક સવારે ન ઉઠતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાનું હાર્ટ એટેકથી મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બનાવની વિગત મુજબ દર્પણભાઈ મોતીલાલ તન્ના (ઉ.વ.32 રહે-શાંતિનગર સન સિટી એન્કલવ રૈયા ધાર પાણીનાં ટાંકા પાસે) ને હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું. યુવક પોતાનાં ઘરે સવારે ન ઉઠતા પરિવારજનોએ જગાડવાનો પ્રયાસ કર્યો છતાં પણ ઉઠતાં યુવકને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતો. મૃતકને ડાયાબીટીસની બીમારી હતી. તેઓ એક બહેનમાં નાના હતા. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy