રાજકોટ, તા.4
નવાગઢ પુલ પાસે થયેલ અકસ્માતમાં ઠેબાભાઈ મહાવડીયા મોત નિપજ્યું હતુ. બનાવ અંગે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની વિગત મુજબ પંકજભાઈ ધીરજલાલ સુખાનંદી (ઉ.વ.51 રહે.ભાદરના સામાકાઠે પટેલ ચોક જેતપુર) ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા.22/4/2024 ના રોજ મારે તથા અરજણભાઈ વીરમભાઈ આતરોલીયા તથા અશોકપરી પોપટપરી ગૌસ્વામી એમ અમે ત્રણેય મિત્રોને અરજણભાઈના કાકા કરશનભાઈ આત્રોલીયા જે માણેકવાડા (તા.કેશોદ) રહે છે. તેની પાસે ઘંઉ ભરવા માટે જવાનુ હતુ.
જેથી અમે મિત્ર રાજેશભાઈ અરજણભાઈ ચુડાસમા (રહે.ભાદરના સામાકાંઠે ઢોરા પર ઈટુના ભઠા પાસે) સવારના તેની રીક્ષા ભાડે કહેવા માટે તેના ઘરે ગયેલ હતા. બાદ ભાડુ નક્કી કરી અમે ત્રણેય અને રાજેશભાઈ રીક્ષા લઈને આઠેક વાગ્યે અમે બધા માણેકવાડા જવા નીકળેલ હતા. રબારીકા પાટીયે પહોંચતા અમારા વિસ્તારમા 2હેતા ઠેબાભાઈ રામભાઈ મહાવડીયા તથા હરસુખભાઈ રામદેભાઈ વાઢીયાને બળદેવધાર લગ્નમાં જવુ જેથી તે બંને રીક્ષામાં બેસી ગયેલ હતા. બાદ સાડા આઠેક વાગ્યે અમે પોરબંદર નેશનલ હાઈવે રબારીકા પાટીયાથી તત્કાલ ચોકડી તરફ જતા હતા ત્યારે રાજેશભાઈ ચુડાસમા છકડો રીક્ષા પુર ઝડપે ચલાવતા હોય, નવાગઢ પુલ પાસે પહોંચતા રીક્ષા પરનો કાબુ ગુમાવતા રીક્ષા સર્વીસ રોડના ડીવાઈડર સાથે અથડાઈ હતી. અમને બધાને ઈજા થઈ હતી. ઠેબાભાઈને માથમા ગંભીર ઈજા થઈ હતી. રીક્ષામાં જ મેં બધાને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ થયા.
વધુ સારવાર માટે જેતપુર સંજીવની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. જેમાંથી ઠેબાભાઈને તથા હરસુખભાઈને વધુ સારવાર જણાતાં બંન્નેને રાજકોટમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી હરસુખભાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ઠેબાભાઈને રાજકોટ મધુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.30/4/2024 ના રોજ બારેક વાગ્યાના આસપાસ ઠેબાભાઈ મહાવડીયાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જે અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે રીક્ષા ચાલક રાજેશભાઈ ચુડાસમા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy