રાજકોટ. તા.24
ભારતનગરમાં પાંચ કલાક બંધ રહેલ મકાનમાંથી રૂ.75 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં થોરાળા પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી તસ્કરને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.
બનાવ અંગે ભારતનગર સોસાયટી શેરી નં.4 માં રહેતાં હીનાબેન ઉત્તમભાઈ પટેલ (ઉ.વ 35) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ 25 વર્ષથી તેના પતિ અને બે સંતાનો સાથે રહે છે. તેઓ માંડાડુંગરમાં આવેલ એન્ટીક મેટલમાં મજુરીકામ કરે છે. કારખાનાનો સમય સવારના સાડા આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો હોય છે. તેણીના બંને પુત્રો અભ્યાસ કરે છે. ગઇ તા.15/04/2024 ના તેઓ કારખાને ગયેલ હતી અને બપોરના જમવા ઘરે આવેલ અને બાદમાં તેના બંને પુત્રો સ્કુલે જતા રહેલ અને તે પણ બપોરના ઘરે તાળુ મારી માંડાડુંગર કારખાનામાં કામે જતી રહેલ હતી. તેણી પોતાનો મોબાઈલ ઘરે ચાર્જીંગમાં મુકી કામે ગયેલ હતી.
સાંજના કામેથી ઘરે આવતા ઘરનું તાળુ તુટેલ હતુ અને દરવાજો અર્ધ ખુલ્લો હતો. જેથી ઘરમાં જોતા ચાર્જીંગમાં રહેલ મોબાઇલ જોવામાં આવેલ નહી તેમજ મારા ઘરમાં રહેલ કબાટનુ તાળુ ટુટેલ હતું. તેમાં રહેલ રોકડા રૂ. 60 હજાર કબાટના ખાનામાં રાખેલ ચાંદીના સાકળાની જોડ રૂ.5 હજાર તે કબાટમાં જોવામાં આવેલ નહી, જેથી ઘરમાં તસ્કરોએ ત્રાટકી રૂ.75 હજારનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યાની ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસ મથકના પીએસઆઈ જે.એમ.પરમાર અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે ગણતરીની કલાકોમાં એક તસ્કરને સકાંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy