અમરેલી જીલ્લામાં હનુમાન જયંતીની ઉજવણીમાં હજારો ભકતો તલ્લીન : વિવિધ ધાર્મિક આયોજનો

Local | Amreli | 23 April, 2024 | 12:48 PM
ભુરખીયા હનુમાન મંદિર તરફ હજારોની સંખ્યામાં ભકતજનોની પદયાત્રા: જીલ્લાના નાના મોટા ગામોમાં હનુમાન જયંતીની ઉજવણી
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.23
અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં આજે પવનપુત્ર અને શ્રી રામ ભકત હનુમાનજી મહારાજનાં જન્મોત્સવની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાનાં સમગ્ર હનુમાનજી મંદિરમાં ભકતો દ્વારા હનુમાનજી મહારાજને તેલ, સિંદુર અને અડદનો અભિષેક અને આંકડાની માળા ચડાવીને પૂજા-અર્ચના કરવામાં આવેી છે. આજે વ્હેલી સવારથી રાત્રિ સુધી હનુમાનજી મંદિરમાં ભકતોની ભીડ ઉમટશે.

અમરેલી શહેરમાં આવેલ રોકડીયા, બાલાજી હનુમાન, બાલ હનુમાન, લાલાવાવ, હઠીલા, પંચમુખી સહિતનાં હનુમાન મંદિરોમાં મહાઆરતી, સંતવાણી, બટુક ભોજન, હનુમાન ચાલીશા અને સુંદરકાંડાનાં પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

લાઠી નજીક આવેલ સુપ્રસિઘ્ધ ભૂરખિયા હનુમાન મંદિર તરફ ગઈકાલ સાંજથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ રવાનાં થયા છે અને આ પદયાત્રીઓ માટે ચા-પાણી, ઠંડાપીણા, નાસ્તા અને ફ્રૂટનું સેવાભાવીઓ ઘ્વારા સ્ટોલ ઉભા કરી વિતરણ કરવામાં આવી રહયુ હતું.

અમરેલી ઉપરાંત સાવરકુંડલા, ધારી, રાજુલા, બગસરા, કુંકાવાવ, બાબરા, લીલીયા સહિતનાં તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ હનુમાનજી મંદિરમાં ભકતજનો ઘ્વારા પૂજા-અર્ચના કરવામાં આવશે.

દામનગર
દામનગર શહેરની મઘ્યમાં આવેલ 3પ0 થી વધુ વર્ષ પૌરાણિક શ્રી રોકડીયા હનુમાનજી દાદાના મંદિરે ચૈત્ર સુદ પૂનમને મંગળવારે તા. ર3/4 નાં દિવસે હવનનું આયોજનકરવામાં આવેલ છેઅને સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં બપોરના સમયે દાદાના ચરણોમાં થાળ ધરીને સેવક સમુદાય પ્રસાદી ગ્રહણ કરશે. શ્રી રોકડીયા હનુમાનજી મંદિરનો સંક્ષિપ્ત ઈતિહાસ મુજબ 3પ0 વર્ષ પહેલાં મૂળદાસ બાપુ ( ખાખી બાપુ ) એ અહીંયા મૂર્તિની સ્થાપના કરી હતી.ત્યારબાદ મંદિરનું નિર્માણ અને શિખરનું કાર્ય થયેલ. આ મંદિરની બાજુમાં ધોળી કુઈ (કુવો) છે  તે સમયે ખુલ્લો હતો જે સમય જતાં ઢાંકી દેવામાં આવેલ છે.

આ કુવામાંથી પાણીનો અખંડ પ્રવાહ આજ દિન સુધી અવિરત હનુમાનજી દાદાની કૃપાથી વેપારી મિત્રો અને રહેવાસીઓ મીઠા મધુરા પાણીનો લાભ લઈ રહ્યા છે. 30 વર્ષ પહેલાં બાઢડાવાળા શ્રી ઘનશ્યામબાપુએ આ મંદિરમાં હનુમાનચાલીસાનાં પાઠ શરૂ કરેલ છે જે દર શનિવારે પાઠ સેવક સમુદાય દ્વારા કરવામાં આવે છે. દર ચૈત્ર પૂનમના દિવસે યજ્ઞ કરવામાં આવે છે.

સમૂહ પ્રસાદના કરવામાં આવતા આયોજનમાં 400 થી વધુ ભકતો પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે અને દર મંગળવારે સુંદરકાંડના પાઠ સંગીત સાથે કરવામાં આવી રહ્યા છે. આ મંદિરથી નજીકના અંતરે શ્રી ખોડિયાર માતાજીનું સ્થાનક છે, જે કોઠાના ખોડીયાર તરીકે શ્રઘ્ધાળુઓ દર્શન કરેલ છે. જાણકારોના કહેવા મુજબ આ ખોડીયાર મંદિરની પાછળની બાજુએ દામનગર ગામની સ્થાપના કરાઈ હતી તે સમયે શ્રીમાન ગાયકવાડ સરકારે લોકોની સુરક્ષા માટે ગઢની રાંગ બનાવી હતી તેની સાબિતી રૂપે અમુક ભાગમાં આજે પણ દીવાલો સુરક્ષિત છે.

દામનગર ગામનું નામ રાખવામાં આવેલ તે પહેલા મૂળ નામ ‘છભાડ’ હતું. ભરવાડ સમાજમાં છભાડ અટક ધરાવતા પરિવારો વર્ષોથી આજ સુધી આ ખોડીયારમાના સ્થાનકે (મંદિર) આવી દર્શન કરવા આવે છે. આજે પણ દામનગરના લોકો કોઠાના ખોડીયાર માતાજીનાં દર્શન ધન્યતા અનુભવે છે. તા. ર3/4 ને મંગળવારે શ્રી રોકડીયા હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિની ઉજવણી સેવક સમુદાય દ્વારા કરવામાં આવશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj