(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.27
સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે દાદાના પ્રાગટય દિન ચૈત્રી પુનમ તા. 22 તથા 23 ના દિવસે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યારે હજારોની સંખ્યામાં દાદાના ભકતજનો પગપાળા પધાર્યા હતા.
ભુરખિયાં હનુમાન દાદામાં અખુટ શ્રધ્ધા ધરાવતા દાદાના ભકતજનો દર વર્ષની માફક આ વર્ષે પણ આવી સખત ગરમીમાં આવતા હોવાથી સ્વાભાવિક રીતે શરીર ઉપર અસરો થતી હોય છે. આવા સંજોગોમાં અમરેલીની બીમ્સ હોસ્પિટલ દ્વારા શ્રી ભુરખીયા મંદિર ખાતે તેમની ટીમના ડો.યશ ઝાલા, ડો.રવી પઢિયાર તથા નીલેશભાઈ, નરેશભાઈ, હષીતા, અસ્મીતા, ખુશી, રૂચીતા, કલ્પેશ, દીલીપભાઈ અને પેરામેડીકલ સ્ટાફ રાજદીપભાઈ, કેતનભાઈ, અજયભાઈ દ્રારા લોકોના સેવાકાર્ય કરી પ્રશંસનીય કાર્ય કર્યુ છે. આ સેવાક્રમ દરમિયાન 209 જેટલા દર્શનાર્થીઓને પ્રાથમીક સારવાર આપવામાં આવેલ હતી. તેમજ 3 દર્શનાર્થીઓને ઈમરજન્સી સારવાર આપી ઉતમોતમ સેવાકાર્ય કરી આ ટ્રસ્ટની જવાબદારી હળવી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy