રાજકોટ, તા. 23
વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે વધુ એક વ્યાજખોરોનો ભોગ બનેલા ક્ષૌરકર્મી યુવકે પોલીસ કમિશ્નર કચેરીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ જય જવાન જય કિસાન સોસાયટી, ન્યુ જકાતનાકાની સામે રહેતા અમિત કાંતિભાઇ હિરાણી (ઉ.વ.36)એ આજે બપોરના સમયે પોલીસ કમિશનર કચેરીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ યુવાને આજથી થોડા સમય પહેલા ક્રાઇમ બ્રાંચમાં અરજી આપી હતી જેમાં વ્યાજખોર રાજુ મનુ પટેલ, અંકિત મનુ પટેલ, ગૌતમ ડાયા સાકરીયા, નિરવ વિનોદ મુંગરા, અંકિત પ્રવિણ સોલંકી તેમજ ઇન્ડુસ બેંકના જવાબદાર અધિકારીઓના નામ આપ્યા હતા. જેમાં જણાવ્યું હતું તેઓના માતુશ્રીનું અવસાન થતા લૌકિક ક્રિયા માટે રૂપિયા વ્યાજે લીધા હતા જેમનું આરોપી રાજુ અને અંકિતે 10-10 ટકા વ્યાજ આપવાનું કહ્યું હતું.
જે પૈસા તેમને પરત આપી દીધા હોવા છતાં આરોપીઓએ ધાકધમકી આપી દંપતિના એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટમાં દુબઇ સહિતના દેશોમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી ચેકથી ઉપાડી લેતા હતા. જે વ્યાજખોરોની ધમકી અને બેંકના અવ્યવહારોને કારણે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપવા છતાં પોલીસે પણ કોઇ કાર્યવાહી ન કરતા કંટાળીને પગલુ ભર્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy