રાજકોટ, તા.26 સહયોગ સેવા સમાજ દ્વારા આજે તા.26 ને શુક્રવારે તોરણીયા ધોરાજી રાજકોટ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બપોરે 3 કલાકે શોભાયાત્રા, સાંજે 5:30 કલાકે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું મહાનુભાવો અને વંદનીય ભંતે પ્રજ્ઞા રત્નજી થેરોના કરકમલોથી અનાવરણ કરવામાં આવશે. તેમજ સાંજે 6 થી 8 દરમ્યાન સામૂહિક ભીમ ભોજન, રાત્રે 9 કલાકે વંદન મહાનુભાવોનું અભિવાદન અને પ્રાસંગિક ઉદબોધન તેમજ રાત્રે 10 કલાકથી ભીમ સંગીત (ભીમ ડાયરો)ના સૂર સાધકો શોભના દાફડા, કિસ્મત ચૌહાણ અને જયેશન પરમાર સૂરવાણી ફેલાવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy