ધોરાજી,તા.26 ધોરાજી ખાતે હજરત લાલ શાહ વલીના ઐતિહાસિક ઉર્ષ ની ઉજવણી કોમી એકતા અને ભાઈચારા ના માહોલ વચ્ચે થઈ રહી છે ત્યારે દરગાહ શરીફ પર દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવી પહોંચે છે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ શીશ ચૂકાવી અને ધન્યતા અનુભવી હતી તારીખ 23 એપ્રિલથી શરૂ થયેલ આ ચાર દિવસીય ઉર્ષ નું 26 એપ્રિલ અને શુક્રવારે અંતિમ દિવસ છે અને ત્યારે હજરત લાલ શાહ વલી ની 17 મી રાત્રિ પણ છે જેને લઇને ધોરાજીમાં દરગાહ શરીફ ખાતે શ્રદ્ધાળુઓનો ઘોડા પુર ઉમટી પડશે દરગાહ શરીફ ના પટાંગણમાં ફકીર લંગરનીયાજ કમિટી દ્વારા વેજિટેરિયન પ્રસાદનું પણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાલુભાઈ સિંધી અને હનીફભાઈ માજોઠી આ પ્રસાદ ઘરની અંદરમાં કાર્યકરો સાથે પોતાની સેવા આપી રહ્યા છે સાથોસાથ દરગાહ શરીફ ખાતે દર્શન માટે આવતા દર્શનાતિઓ માટે અને નાના નાના ભૂલકાઓ માટે નાલ બંધ ગ્રુપ આયોજિત ભવ્ય મનોરંજન લોકમેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે આ લોકમેળામાં લોકો એ વિવિધ રાઈટ્સ ની મજા માણી હતી અને ખાણીપીણી રમકડાં જ્વેલરી ના સ્ટોલ એ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા આ લોકમેળા માં મેળાના આયોજક યાસીનભાઈ નલ બંધ અને મકબુલભાઈ ગરાણા ના આમંત્રણ ને માન આપી અને ધોરાજી નગરપાલિકાના પૂર્વ નગરપતિ કાસમભાઇ કુરેશી સબીરભાઈ ગરાણા મોહમ્મદ કાસીમભાઇ ગરાણા લઘુમતી ભાજપના જિલ્લાના અગ્રણી બોધુભાઈ ચૌહાણ સહિત નાઓ એ મૂલાકાત લીધી હતી. આજે તા.26 એપ્રિલના ઉર્ષ નો અંતિમ દિવસ છે અને તા 27 ના વહેલી સવારે 4 વાગ્યે દરગાહ શરીફ પર ખાદીમે દરગાહ દ્વારા ગુસલ શરીફની પવિત્ર રશ્મ અદા થશે અને ઉર્ષ ની પૂર્ણાહુતિ થશે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy