રાજકોટ,તા.9 શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુડી પડવો- ચૈત્રી નવરાત્રિ પ્રારંભ નિમિતે તા.9ના મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પરંપરાગત શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.તેમજ મંદિરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy