(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.8
લગ્નેતર સંબંધોના હંમેશા માઠા પરિણામો આવતા હોય છે.તેવી જ એક ઘટના વાંકાનેર શહેરની અંદર બની હતી અને ત્યાં અરૂણોદય સોસાયટીમાં રહેતી મહિલાને પર પુરુષ સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતની તેણીના પતિને જાણ થઈ જતા ઘઉંમાં નાખવાની દવા પી લેતા તેણીને ઝેરી અસર થઈ હતી અને ત્યારબાદ તે મહિલાને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.જોકે ત્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયુ હતુ. વાંકાનેરમાં આવેલ અરૂણોદયનગર સોસાયટીમાં રહેતા હેતલબેન સંદીપભાઈ મહેશભાઇ રાઠોડ જાતે લુહાર (ઉમર 36) નામની મહિલાએ તા.5 ના રોજ સાંજના ઘંઉમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી.
જેથી તેણીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હતું. વાંકાનેર સિટી પોલીસના વનરાજસિંહ ઝાલા પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને પર પુરૂષ સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતની ખબર તેના પતિને પડી ગઈ હતી અને ત્યારે તેના પતિએ મૃતકને ઠપકો આપ્યો હતો.જે બાબતનું તેણીને લાગી આવતા તેઓએ પોતે પોતાની જાતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બાદ તેનું મોત થયુ હતુ. સિટી પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ થતા ઇજા
મોરબીના લાલપર ગામે રીની પાર્ટીકલ બોર્ડ નામના યુનિટના લેબર કવાટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિકાસભાઈ વાસનાભાઈનું બાાઇક સ્લીપ થઇ જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મારામારી
રફાળે(ર ગામે પ્રાથમિક શાળા પાસે રહેતા મનસુખભાઈ કરસનભાઈ સોલંકી નામના 25 વર્ષના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જમાદાર એ.એમ.ઝાપડિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy