રાજકોટ તા.9
રાજયના 222 ન્યાયાધીશોની બદલીનો આદેશ થયો છે. જેમાં ડીસ્ટ્રીકટ જજ કેડરના 78, સિવિલ જજ કેડરના 56 અને સિનિયર સિવિલ જજ કેડરના 88 ન્યાયાધીશોને બદલી અપાઈ છે. પાલનપુરના જે. એન. ઠક્કર, પી.જે. તમાકુવાલા, જૂનાગઢના એસ.એ.શેખ, સુરતના વી.એ. રાણા, સી.વી. રાણાને રાજકોટ મુકાયા છે. રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એન.એચ. નંદાણીયાને રાજકોટના પાંચમા એડી. સિનિયર સિવિલ જજ તરીકે બદલી અપાઈ છે, તેમના સ્થાને કે.એમ. ગોહેલને જવાબદારી અપાઈ છે.
ડીસ્ટ્રીક જજ કેડરના ન્યાયાધીશોમાં રાજકોટના જે.આઈ. પટેલને અમદાવાદ રૂરલ, બી.બી.જાદવને અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, એચ.એચ. વર્માને ગાંધીનગર જોઈન્ટ સેક્રેટરી (લીગલ), ભાવનગરના એચ.એન. રામાવતને અમદાવાદ સિટી, જામનગરના એ.બી. ભટ્ટને અમદાવાદ સિટી, સાવરકુંડલાના ડી.એસ. શ્રીવાસ્તવને અમરેલી, ભાવનગરના પીઆઈ પ્રજાપતિને અમદાવાદ, તળાજાના એચ.એમ. વ્યાસને સુરત, પોરબંદરના એમ.કે. ભટ્ટને જામનગર, ભુજના પી.એમ. ઉનડકટને અમદાવાદ, જામનગરના એ.એસ. વ્યાસને અમદાવાદ રૂરલ, સુરેન્દ્રનગરના એ.આર. દેસાઈને ગાંધીનગર, ખંભાળીયાના વિજય અગ્રવાલને જામનગર, જામનગરના એ.એ. વ્યાસને અમદાવાદ, જીએસએલએસએ, લીંબડીના એસ.પી. શંકરને છોટાઉદેપુર બોડેલી, જામનગરના એમ.આર. ચૌધરીને અમદાવાદ, ઉનાના આર.એમ. અસોડીયાને દાહોદ ફેમિલી કોર્ટ, મહુવાના ડી.સી. ત્રિવેદીને રાજુલા, સોમનાથ વેરાવળના કે.જે. દરજીને ઉના, બારડોલીના એસ.એસ. શેઠીને સાવરકુંડલા, સુરતના એ.એચ. સીબીઆને ભુજ, બોડેલીના અંદલીપ તિવારીને ભચાઉ, ડીસાના આર.વી. મનદાણીને જામનગર, અમદાવાદ રૂરલના એમ.બી. રાઠોડને ભાવનગર, વડોદરાના એ.એસ. પાટીલને મહુવા, રાજુલાના એમ.એસ. સોનીને અમરેલી ફેમીલી કોર્ટ, પાલનપુરના જે.એન. ઠકકરને રાજકોટ, સુરતના બી.એ. રાણાને રાજકોટ, ધોળકાના આર.એ. નાગોરીને તળાજા, પાલનપુરના પી.જે. તમાકુવાલાને રાજકોટ, ભચાઉના પી.ટી. પટેલને લીંબડી, હિંમતનગરના એમ.એ. કડીવાલાને સુરેન્દ્રનગર મુકાયા છે.
સિનિયર સિવિલ જજ કેડરના ન્યાયાધીશોમાં રાજકોટના કે.એસ. મખીજાને આણંદ, એ.આર. ટાપીયાવાલાને પંચમહાલ શહેર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એન.એચ. નંદાણીયાને રાજકોટના પાંચમા એડી. સિનિયર સિવિલ જજ તરીકે બદલી અપાઈ છે. તેના સ્થાને રાજકોટના કે.એમ. ગોહેલને બદલી મળી છે. સુરતના સી.બી. રાણાને રાજકોટ, યુ.એન. સિંધીને ભાવનગર, અમદાવાદના ઝેડ.એ. સિંધીને રાજકોટ, ભરૂચના લેબર કોર્ટ જજ એન.એ. ઈજનેરને મોરબી, નર્મદાના એ.વાય. વાકાણીને જુનાગઢ લેબર કોર્ટમાં બદલી અપાઈ છે. સિવિલ જજોમાં રાજકોટના જે.એલ. પરમારને સુરત, રાજકોટ રેલવેના એ.એસ. ખંડેલવાલ રાજકોટના 4થા એડી. સિવિલ જજ તરીકે બદલી મળી છે. રાજકોટના એમ.બી. રાવલને રાજકોટ રેલવે, જે.એલ. પરમારને બારડોલી બદલી અપાઈ છે.
♦ રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એન.એચ. નંદાણીયાને રાજકોટના પાંચમા એડી. સિનિયર સિવિલ જજ તરીકે બદલી અપાઈ, તેમના સ્થાને કે.એમ. ગોહેલને જવાબદારી અપાઈ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy