રાજકોટ, તા.8
ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યો જ નહીં. બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. બનાવની વિગત મુજબ વિજયભાઈ વીરચંદભાઈ શાહ (ઉ.વ.52 રહે. પુનીતનગર મેઈન રોડ ફળેશ્વર મંદિરની સામે બજરંગ વાડી) નામનાં પ્રૌઢ ગત રોજ સાંજે સૂતા બાદ સવારે ઉઠયાં જ નહી.
પરિવારજનોએ જગાડવાનો પ્રયાસ કર્યો છતાં પણ ન જાગતા પ્રૌઢને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રૌઢને કીડનીની બીમારીની સારવાર શરૂ હતી.
તેઓ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતાં હતાં. પ્રૌઢ ત્રણ ભાઈ અને પાંચ બહેનમાં સૌથી નાનાં હતાં. તેમજ તેઓને સંતાનમાં એક દિકરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy