યાત્રી કૃપયા ધ્યાન દે: બ્રહ્માકુમારીઝ દ્વારા સડક સુરક્ષા ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયા

Local | Rajkot | 03 July, 2024 | 03:50 PM
એકપંથ, દોકાજ, જીવનયાત્રા રૂપી સફરમાં મહત્તમ આનંદ, સુખ, શાંતિ કેમ પ્રાપ્ત કરવી તેની આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ગહન સમજ અપાઈ
સાંજ સમાચાર

રાજકોટ,તા.3
બ્રહ્માકુમારીઝ હેપ્પી વિલેજ રાજકોટના આંગણે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગ દ્વારા યાત્રી કુપયા ધ્યાન દે પ્રોજેકટ અંતર્ગત સડક સુરક્ષા ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.જેમાં બ્રહ્માકુમારી કવિતાબેન અને બ્રહ્માકુમાર સુવાસભાઈએ મુંબઈથી ખાસ અહીં આવીને ટ્રેનિંગ આપી હતી.

સાથોસાથ ગ્લોબલ હોસ્પિટલમાં આબુના આસિસ્ટન્ટ પ્રો.પ્રિષાબેન પણ કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાતઝોન ડાયરેકટર ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.હેપ્પી વિલેજ ખાતે રવિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીના પ્રોગ્રામ દરમિયાન ચાર સત્ર હતા.સ્વાગત પ્રવચન બ્રહ્માકુમારી અંજુબેને કર્યું હતું.કેન્ડલ લાઈટિંગથી પ્રથમ સત્રનો શુભારંભ કરાયો હતો. ત્યારબાદ કું.હીરએ સુંદર નૃત્ય રજુ કરીને સહુની વાહવાહી લુંટી હતી બ્રહ્માકુમારી કિંજલ દીદીએ વ્યવસ્થાની ધૂરા સંભાળી હતી.

યાત્રી કુપયા ધ્યાન દે પ્રોજેકટર એક પ્રેકિટકલ પ્રોગ્રામ છે.જેમાં જીવનરૂપી યાત્રા દરમિયાન પ્રતિકુલ મેં ભી કૂલ રહે સ્લોગન દ્વારા શાંતિની અનુભૂતિ કરવાની શીખ અપાઈ હતી.આ ઉપરાંત પ્રેકિટકલ ટિપ્સ આપકી યાત્રા સુખમય હો સેશનમાં અપાઈ હતી.જેમાં માનવ જીવનની યાત્રા દરમિયાન આવતી સમસ્યાઓને દરેક સ્ટેશનનું નામ આપી દેવદૂત થકી અનાઉસમેન્ટ કરી મનોરંજક તરિકાથી સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે શાત અને સ્થિર રહેવું.જીવન યાત્રા રૂપી સફરમાં યાત્રાનો સાચો આનંદ કઈ રીતે લઈ શકાય તેની બખૂબી સમજ આપવામાં આવી હતી.

ઈન્ટ્રોસેશન, સફરએ જિંદગી લગભગ દોઢ કલાકનો સેશન હતો. ત્યાર બાદ આપકી યાત્રા સુખમય હો લગભગ 90 મિનિટનો સેશન હતો.જેમાં પ્રેકિટકલ રૂપમાં યાત્રીએ યાત્રા દરમિયાન શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તેની છણાવટ કરવામાં આવી હતી.મુસ્કાન કો પહેચાન એ છેલ્લા અને ચોથા સેશનમાં યાત્રીનો કર્તવ્ય પાલન, ડિસિપ્લિન, સરળતા, મિનિમમ જરૂરિયાત વગેરે મુદ્દા પર આધ્યાત્મિક છતાં રોચક રૂપમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.કવિતાબેને કહ્યુ કે, વિંગ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરાશે.જેનું નામ છે યાત્રી ગો.તેમણે યાત્રા દરમિયાન જરૂરી સાધન સામગ્રી લઈ જવા બેગ પેક ટિપ્સ આપી હતી. અંતમાં યાત્રા દરમિયાન સમયનો સદુપયોગ કેમ કરવો તેની ટિપ્સ પણ કવિતાબેને આપી હતી. 

બીજા સેશનમાં સુવાસ ભાઈએ ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગ દ્વારા કરાતી સેવાઓની વિગત આપી હતી.ત્યાર બાદ શોર્ટ ફિલ્મ થકી સડક સુરક્ષાના પાઠ પઢાવાયા હતાં. કહ્યું કે વિશ્ર્વમાં દર 25 સેકન્ડ પર એક મૃત્યુ સડક દુર્ઘટનાથી થાય છે. સરકારી વેબસાઈટ અનુસાર વર્ષ 2021માં આશરે દોઢ લાખ લોકો ભારતમાં સડક દુર્ઘટનામાં માર્યા ગયા હતા.અંતમાં સુવાસભાઈએ વ્હાય-વ્હોટ ફેકટરને હંમેશા ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી. વાહન ચલાવતા સ્પીડ લિમિટ કંટ્રોલમાં રાખવા સમજ આપી હતી.

છેલ્લા સેશન માઈન્ડ સ્પામાં જેમ આપણે બોડી સ્પા થકી શરીરને કંચન જેવું બનાવીએ તેમ આપણા માઈન્ડને પણ સ્પા એટલે કે મેડિટેશન થકી શુદ્ધ શકિતમાન અને પવિત્ર રાખીએ.તેમ પ્રો.પ્રિષાબેને જણાવ્યું હતું.તેમણે મેડિટેશન ટેકિનક વિષે વિષદ છણાવટ કરી હતી. આ કાર્યક્રમનો અસંખ્ય લોકોએ લાભ લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj