ભાણવડ: ભાણવડની ભાગોળે એક સદી કરતા પણ વધારે સમયથી પ્રાચીન એવા ભીડભંજન મહાદેવ મંદિર પરિસરમાં રામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વૃક્ષારોપણ, રંગોળી, તેમજ 1151 દીવડાની દીપમાળા, ભગવાન રામની શોભાયાત્રાનું સ્વાગત, સહીત ઠંડા પીણા સાથે ભાવિકો માટે ફરાળની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. આ તકે ટ્રસ્ટી પ્રહલાદભાઈ ભટ્ટ, હિરાબેન વારોતરીયા, કિરણબેન અત્રી, કાન્તાબેન સોનગરા, રમિલાબેન ઘેટીયા સહિત અનેક હાજર હતા, કાર્યક્રમનો લાભ લેવા માટે ભાવિકો સારી એવી સંખ્યામાં હાજર હતા.
(તસ્વીર: મનિશ ઘેલાણી-ભાણવડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy