(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ,તા.13
રાજકોટના સિનિયર પત્રકાર માસુમાબેન ભારમલ (જરીવાળા)નું ગુરૂવારે સવારે રાજકોટ મુકામે નિધન થતા તેમનાં પરિવાર અને પત્રકાર જગતમાં શોકભીની લાગણી ઉદ્દભવી હતી આ અંગે જસદણના હુસામુદ્દીન કપાસી એ માસુમાબેનને શબ્દાંજલિ અર્પતા જણાવ્યું હતું કે માસુમાબેન ખંતિલા, ઉત્સાહી અને અભ્યાસુ પત્રકાર હતાં ખાસ કરીને માણસાઈથી છલકતું એમનું વ્યક્તિત્વ આજીવન યાદ રહેશે પાક પરવરદિગાર તેમનાં પરિવારજનોને આ કારમુ દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને મર્હુમાને જન્નત બક્ષે એમ જણાવ્યું હતું નોંધનીય છે કે પત્રકારત્વમાં માસુમાબેનએ અનેક અંગ્રેજી અખબારોમા સંખ્યાબંધ લેખો પ્રકાશિત કર્યા હતા સાથોસાથ અનેક સેવાકિય પ્રવૃત્તિઓમાં મોખરે હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy