(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.24
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ તેના મિત્રોની સાથે કાર લઈને રાજકોટમાં રહેતા તેના બહેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જવાના રોડ ઉપર તેઓની કાર ગોળાઈમાં પલ્ટી મારી ગઈ હતી.
જેથી કરીને કારમાં બેઠેલા ચાર પૈકીનાં બે સગા ભાઈના મોત નિપજ્યાં હતા અને બે મિત્રોને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર 312 ગુજરાત હાઉસીંગ બોર્ડ નારી રોડ કુંભારવાડાના રહેવાસી અને હાલમાં મોરબી વિશીપરા વિસ્તારમાં આવેલ દશામાના ચોક પાસે સોહેબભાઇ હૈદરભાઇ જેડા જાતે મિયાણા (34) અને તેનો ભાઈ અલ્તાફભાઈ હૈદરભાઈ જેડા મોરબીથી રાજકોટ રહેતા તેમના બહેનના ઘરે જઈ રહ્યા હતા અને પરા પીપળીયા પાસે આવેલ દરગાહે તેઓને જવું હતું જેથી તેઓ નેકનામ પડધરી રોડ ઉપરથી ગયા હતા.
ત્યારે રસ્તામાં નેકનામ ગામેથી પડધરી તરફ જવાના રસ્તા ઉપરથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 એનએફ 6642 પસાર થઈ રહી હતી ત્યારે સોહેબભાઇ હૈદરભાઇ જેડાએ ગાડીના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં નીચે પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં આરોપી સોહેબભાઇ અને તેના ભાઈ અલ્તાફભાઈનું મોત નીપજયું હતું.
જો કે, સાહિલભાઈ ઈલિયાસભાઈ કટીયા તથા સંજય અવચરભાઈ ઝીંઝુવાડીયા જાતે કોળી (21)ને ઈજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં ટંકારા તાલુકા પોલીસે સંજય અવચરભાઈ ઝીંઝુવાડીયાની ફરિયાદ લઈને મૃતક સોહેબભાઇ હૈદરભાઇ જેડા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મારા મારીમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામ ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજુભાઈ દેવીપુજક અને ભાવેશ દેવીપુજક રહે. બંને નેકનામ તાલુકો ટંકારા વાળાને ઇજાઓ થઇ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરીને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy