જુનાગઢ તા.16
જુનાગઢમાં 24 કલાકમાં બે આગની ઘટના ઘટવા પામી હતી.
જુનાગઢના પ્રિઝમ કોમ્પ્લેક્ષમાં આવેલ ઉત્સવ રેસ્ટોરન્ટમાં આગ લાગતા ધુમાડાના ગોટા બહાર દેખાયા હતા. રેસ્ટોરન્ટના રસોડાની ચીમનીમાં આગે રસોડુ કવર કરી લીધુ હતું. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લીધી હતી. રાત્રીના રસોડુ બંધ કરી સ્ટાફ બહાર જતો રહ્યો હતો ત્યારે આગ લાગી હતી.
બીજી ઘટના બપોરના સમયે તળાવ દરવાજાનાં નીલધારા એપાર્ટમેન્ટના ત્રીજા માળે બ્લોક નં.309માં આગ લાગી હતી. રૂમમાંથી ધુમાળાના ગોટેગોટા બહાર નીકળતા ફરજ પરના ટ્રાફીક જવાનો ટીઆરપી જવાનો દોડી ગયા હતા રૂમમાં કોઈ ન હતું. ફાયર જવાનોને જાણ કરાતા ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. બેડરૂમમાં એસીમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હતી. આમ 24 કલાકની અંદર બે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy