રાજકોટ, તા.17
સમગ્ર ગુજરાત અને દેશમાં હોટ ટોપીક બની ગયેલી રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપે હવે તેની વધારે તાકાત હોમવાનો નિર્ણય લીધો છે અને અહીં જે ડેમેજ થયું છે તેમાંથી કાર્યકર્તાઓને ખોટો મેસેજ ન જાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ રાજકોટ આવી રહ્યા છે.
એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટનો કાર્યક્રમ ગોઠવાતો હતો પરંતુ હવે શ્રી મોદી જૂનાગઢમાં એક જંગી જાહેરસભાને સંબોધશે અને તેમાં અમરેલી, પોરબંદર સહિતની બેઠકોમાં મેસેજ જાય તે નિશ્ચિત કરશે.
જ્યારે બીજી તરફ શ્રી અમિત શાહ રાજકોટમાં સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓની એક વિશાળ સંમેલનને સંબોધીત કરશે અને આ રીતે હાલના ક્ષત્રિય વિવાદમાં ભાજપને જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ડેમેજ થવાની ચિંતા છે તેના સામે કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે અમિત શાહ ખાસ રાજકોટ આવી રહ્યાનો સંકેત છે અને તેઓનો કાર્યક્રમ આગામી સપ્તાહમાં જ ગોઠવાઇ રહ્યો છે જેથી પ્રચાર શરુ થાય તે પૂર્વે જ કાર્યકર્તાઓને યોગ્ય મેસેજ મળી શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy