(મનીષ ઘેલાણી)
ભાણવડ, તા. 18
ભાણવડ ખાતે આગામી તા. 27 એપ્રિલથી પાંચ દિવસ માટે વલ્લભ સાખી રસપાનનો અલૌકિક કાર્યક્રમ યોજાનાર છે. આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયનાં પૂજય જય વલ્લભ લાલજી મહદય ખાસ ઉપસ્થિત રહી રસપાન કરાવશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
ગોવિંદ પ્રભુ સેવા મંડળ આયોજીત અને વૈષ્ણવ નરોતમભાઇ રામજીભાઇ નકુમ, જયાબેન નરોતમભાઇ નકુમ, ડો. અમીતભાઇ નરોતમભાઇ નકુમ, મનોરથી પરિવાર આયોજીત વલ્લભ સાખી રસપાનના કાર્યક્રમ પૂર્વે સામૈયા થશે.
ત્યારબાદ વચનામૃતના અલૌકિક કાર્યક્રમનો પ્રારંભ થશે, વચનામૃત આઝાદનગર, બસ સ્ટેશન સામે યોજાશે. જેનો સમય બપોરે સાડા ત્રણથી સાડા છ વાગ્યા સુધી રહેશે. કથા સ્થળનાં વિસ્તારને ધજા પતાકાથી શણગાર કરાયો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોવિંદ પ્રભુ સેવા મંડળનાં ભાવિન રાડીયા, વિઠલભાઇ શીવાવારા, વિજયભાઇ કટારીયા, બાબુભાઇ કરમુર, યોગેશભાઇ સીણોજીયા, વિઠલભાઇ કણજારીયા સહિત વૈષ્ણવો જહેમત ઉઠાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy