વેરાવળ: પુત્ર પાસેથી ભરણપોષણ મેળવવા પિતાએ કરેલ અરજી કોર્ટે નામંજૂર કરી

Local | Veraval | 06 May, 2024 | 12:07 PM
સાંજ સમાચાર

વેરાવળ, તા.6
વેરાવળ-પ્રભાસ પાટણ ખાતે રહેતા પુત્રની સામે તેમના પિતાએ ભરણપોષણની અરજી કરેલ જે કોર્ટ દ્વારા નામંજુર કરી પુત્રને રૂા.10 હજાર વળતર પેટે આપવાનો હુકમ તાલાળા (ગીર) ફોજદારી અદાલત દ્વારા થતા સમાજમાં દાખલો બેસાડેલ છે. 

આ કેસની વિગતો આપતા એડવોકેટ બી.એમ.પુરોહીતે જણાવેલ કે, તાલાળા તાલુકાના સેમરવાવ ગામે રહેતા આદમભાઈ સીદીભાઈ ભાદરકા ઉ.વ.પ4 એ તેમના પુત્ર સત્તારભાઈ આદમભાઈ ભાદરકા રહે.પ્રભાસ પાટણ વાળા સામે તાલાળા જયુડી. મેજી.શ્રી (ફ.ક.) ની કોર્ટમાં ભરણ પોષણના કાયદાની જોગવાઈ 125 અન્વયે અરજી દાખલ કરેલ જેમાં પુત્ર સત્તારભાઈ આદમભાઈ ભાદરકા ને દર માસે ભરણ પોષણ પેટે રૂા.10 હજાર માંગેલા હતા અને જેમા ધારાશાસ્ત્રી બી.એમ.પુરોહીત એ કાયદાની જરૂરી મહત્વની દલીલો તથા ઉલટ તપાસ કરેલ જે હકિકતોને ધ્યાને લઈ કાયદા મુજબ કેસ સાબિત નહિ કરી શકતા અદાતલએ તેમની અરજી નામંજુર અને ટકવા પાત્ર થતી નથી તેવુ માની રદ કરેલ છે. 

અરજદાર આદમભાઈ સીદીભાઈ ભાદરકાએ તેમના પુત્ર સત્તારભાઈ ને રૂા.10 હજાર ખર્ચ પેટે 30 દિવસમાં ચુકવી આપવાનો હુકમ કરેલ અને નામદાર કોર્ટનો કિંમતી સમયનો બગાડ કરેલ હોય ખર્ચ પેટે સરકારમાં રૂા.પ હજાર દિવસ 30 માં ભરવાનો હુકમ જયુડી.મેજી.(ફ.ક) સાહેબશ્રી સંદીપ ઈશ્વરભાઈ ચૌહાણ એ કરેલ છે. આ કેસમાં ધારાશાસ્ત્રી બી.એમ.પુરોહીત, હરેશભાઈ વિ. જેઠવા, ચેતનભાઈ એસ.ક્ષોત્રીય રોકાયેલા હતા અને આવો સીમાવતી ચુકાદો આપી સમાજમાં ખોટી રીતે ભરણપોષણની અરજી દાખલ કરી ગેરલાભ લેવા પ્રયાસો કરનાર વ્યકિત સામે લાલ બંતી સમાન નિર્ણય આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj